પણ આના કરતાંયે વધારે સાચું એમને પોતાને વિષે આ કેવું છે !
વલ્લભભાઈ ને તો એમાં વિશ્વાસ હોય એમ જણાયું. બાપુએ કહ્યું : “ એ વસ્તુ સાચી પ્રમાણપાત્ર હોય તો આશ્ચર્યજનક છે.”
एकपष्टौ तदा वर्षे विरोधश्च महान् भवेत्
द्विषष्टौ वत्सरे काले किंचित् शमनमादिशेत्
किंचित् स्वातंत्र्यमादेश्यमस्वास्थ्यं च भवेन्नरः
विदेश गमने चैव पंचषष्टिक पूर्वके
श्वेतःप्रभु सार्वभौमस्तस्य दर्शनमादिशेत्
तन्मूलात्कार्यसिद्धिर्जातकस्य भविष्यति
पश्चात्स्वदेशवासी च आश्रमे वासवान् भवेत्
ज्ञानमार्गप्रवृत्तिश्च जातकस्य भविष्यति
सप्तति वत्सरे पूर्व योगसिद्धिश्च जायते ।
આ સ્લોક ભાવિના ઉપર ખૂબ પ્રકાશ પાડનારા છે, એમ વલ્લભભાઈને લાગ્યું. મેં કહ્યું : “ એમાં શહેનશાહની સાથેની જે મુલાકાતની વાત છે તે ગયે વર્ષે થઈ ગયેલી મુલાકાતની વાત નથી પણ ભાવિ મુલાકાતની વાત હોવી જોઈએ.”
ગમે તેમ હોય, આમાંથી ગમ્મત તો ઠીક મેળવી.
બાપુ ‘વેટ પેરેડ’ વાંચતા હતા. મૌન ત્રણ વાગ્યે લીધું. પણ વાંચતાં વાંચતાં આ વાક્ય આવ્યું તે મને બતાવ્યું અને વાંચવા કહ્યું: ‘ everybody had to choose between self-indulgence and selfcontrol ' ( દરેક માણસને સ્વછંદ અને સંયમ વચ્ચે પસંદગી કરવાની રહેતી). મેં બાપુના ‘ નીતિનાશને માગે” (Self-restraint v. Self indulgence) પુસ્તકની યાદ આપી. આખા પુસ્તકનો આ સાર છે, એમ .બાપુ કહેતા હોય એમ લાગ્યું.
જમી રહ્યા પછી વલ્લભભાઈ હમેશની જેમ દાતણ કુટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : “ગણ્યાગાંઠયા દાંત રહ્યા છે તેપણ બાપુ ઘસ ધસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.” મેં વિનાદ ફેરવીને કહ્યું : ” '૩૦માં આપણું સાંબેલું સાંબેલું પણું વગડ્યું સરસ.” બાપુએ હકારદર્શી