. . . બહેને સાદર્યની સ્તુતિ કરવા વિષે સવાલ કરેલ્. પોતે કોલેજમાં કોઈક યુવકને જોઈ ને તેના સૌંદર્યની સ્તુતિ કરેલી અને જવાહરલાલની ખૂબસુરતી ઉપર મોહિત છે એમ જણાવેલું. બાપુએ ત્રણ વાકયોમાં સૌદર્યસુત્ર કહ્યાં: ‘સૌદર્યની સ્તુતિ થવી જ જોઈએ. પણ તે મૂક સારી. અને ‘त्येन त्य्कतेन भुंजीथा:' આકાશનું સૌદર્ય જેને હર્ષ ન પમાડે તેને કંઈ નથી ગમવાનું એમ કહી શકાય. પણ જે હર્ષઘેલા થઈ નક્ષત્રમંડળને પહોંચવાની સીડી બાંધવાના આદર કરે તે મૂર્છિત છે.”
કોકે નીલગિરિથી યુકેલિપ્ટસની એક બાટલી મેલી. તેને ખોલાવીને સરદારને કહે : “ મારી આંગળી અને તમારું નાક બંનેને પીડા છે એટલે કોકે જાણીને જ મોકલી લાગે છે.” પછી એ શીશી બિલાડી ન પાડે એ ખાતર બીજી શીશીઓની જગ્યાએ ન ગોઠવતાં બીજી સુરક્ષિત જગ્યાએ ગોઠવવી જોઈએ એમ સરદારને કહ્યું. કાગળ લખાવ્યે જતા હતા. દરમ્યાન મને કહે : " તમે કિચનનું નામ સાંભળેલું ના ? એ કહેતા કે તું એકે વસ્તુ એવી નથી કરતો કે જેનું કારણ ન હોય.” મેં કહ્યું : મેં એ જ વસ્તુ આપને વિષે અનેક વાર કહી છે, “ જેની એક પણ પ્રવૃત્તિ વ્યર્થ નથી તે કારણ વિના કશું જ ન કરે.” પછી બાપુ કહે : “ વાત સાચી છે, નાક અમુક રીતે અને અમુક જગ્યાએ કેમ નસીકવું એમ મને કોઈ પૂછે તો તેનું કારણ આપી શકું.”
મિસિસ નાયડનો કાગળ આવ્યો. મળવા આવ્યાં હતાં પણ ન મળવા દીધાં. એટલે કાગળ સુપરિન્ટેન્ડન્ટને આપી ગયાં. દક્ષિણ આફ્રિકા વિષે એણે લખ્યું હતું કે : A good deal has been achieved there. It was something like striking living water out of obdurate rock. ત્યાં ઠીક ઠીક કામ થયું છે. દુર્ભે દ્ય ખડકમાંથી પાણી કાઢવા જેવું એ કામ હતું. અને ફઝલીનાં કામનાં બહુ વખાણ હતાં. બાપુને The most unseeable being – અતિ દુર્લાબદર્શન પ્રાણી કહીને સંબોધ્યા હતા.
..ને નોટિસ મળ્યાની વાત ' લીડર 'માં જોવાની મળી. "અણધાર્યો તારો ખર્યો” એમ મેં કહ્યું. બાપુ કહે : “ સરકારે ખેરવ્યો.”
આજે સવારે પોણાચારે ઊઠવાને બદલે બાપુ ત્રણ વાગ્યે ઊઠી પડ્યા. મેં કહ્યું : "ટકેારા ત્રણ જ સંભળાયા.” બાપુને ઘડિયાળ જોતાં માલૂમ પડયું કે ત્રણ જ વાગ્યા છે, એટલે કહે : “ ઊઠ્યા છીએ ત્યારે