પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને ઉકેલવામાં મદદ થાય છે. મને તો સમજવામાં પણ મદદ થાય છે. આપણને તો મુસલમાન સાથીઓને ઉદૂમાં લખતાં આવડવું જોઈએ એમ હું માનું છું. તેને અંગ્રેજીમાં જ લખવું પડે તો હિંદી રાષ્ટ્રીય ભાષા કોઈ દિવસ થઈ જ ન શકે. તેથી મારી દૃષ્ટિએ તે ઉદૂમાં લખવાની શક્તિ આપણે સારુ આવશ્યક છે.” પછી ઉદૂ લખવાનો આરંભ રિહાના તૈયબજીને કાગળ લખવા શરૂ કરતાં કેમ થયા તેના ઇતિહાસ આપી જણાવે છે, “ મુસલમાનોની સાથે નિર્મળ સંબંધ બાંધવામાં આ બધા કવિ અને નge ઉપાડ્યા છે.” બિરલાને કાગળ લખતાં લખ્યું : “ આશાવાદ ઔર ભાલપનમે મેં ભેદ કરતા હું. પંડિતજીમેં દીનાં હૈ. દષ્ટિમર્યાદા પર નિરાશાકે ચિહન હોતે હુએ ભી ઔર જાનતે હુએ ભી જે આશા રાખતા હૈ વો આશાવાદી હૈ. યહ ગુણ પંડિતજીએ કાફી માત્રામેં હૈ. આશાકી બાર્ને કાઈ કહ દેવે ઔર ઉસ પર વિશ્વાસ લાના વહ ભાલાપન હૈ. યહ ભી પંડિત મેં હૈ. ઉસે મેં ત્યાજ્ય સમઝતા હૈ. પંડિતજી મહાન વ્યક્તિ હૈ” ઈસલિયે ઉનકા ઐસે ભોલેપનસે હાનિ નહીં હુઈ હૈ. દેખે, હમેં ઐસે ભાલેપનકા અનુકરણ કભી નહીં કરના ચાહિયે. આશાવાદ અંતરનાદ પર નિર્ભર હૈ, ભાલાપન બાહ્ય બાત પર નિર્ભર હૈ.” માલવિયાજી કે એમણે વિલાયત જવું કે નહીં એ વિષે બિરલાએ અભિપ્રાય માગ્યો હતો. બાપુએ લખ્યું કે ૮% અભિપ્રાય આપવાનો મને અધિકાર નથી. મારા સામાન્ય ખ્યાલ આ બાબતમાં જાણીતા છે.” આજે છેલ્સફર્ડ ના સેંકી ઉપરના લેખ વાંચીને બાપુ કહે : “વિલાયત જવું તદ્દન આવશ્યક હતું એમ દરરોજ વધારે ને વધારે સિદ્ધ ૨૮-ક- રૂ ૨ થતું જાય છે. ત્યાં ન ગયા હોત તો આપણને અને આપણા કેસને આટલા સમજી નહીં શકત. અાટલા બધા માણસો આજે નિ:સ્વાર્થ બુદ્ધિથી કામ કરી રહ્યા છે એ જેવી તેવી વાત નથી.” એલિનના કાગળમાં શ્લોટિનસના બે સુંદર ઉતારા હતા: "I have been meditating on the writings of Plotinus so like the Gita in his stress on the life of beauty which men live when they have climbed above the life of senses. He speaks of the eternal beauty which makes its lovers beautiful so that they too are worthy of love. It is for this that souls must run their ultimate and greater race: the prize of all their striving is this, that they be not without portion in the supreme spectacle. Blessed is ૧૮૨ Gandhi Heritage Portal