સૂક્તિઓ ટાંકવામાં આવે છે. આ આપણી સુખની વ્યાખ્યાને પર્યાયરૂપે એણે આપી છે : Everything that frees our spirit without giving us self-mastery is pernicious. જે જે વસ્તુઓ આત્મવિજય અપાવ્યા વિના ચિત્તને નિરંકુશ કરે છે તે મહા હાનિકારક છે. ગીતાજીમાં તો વચનામૃત ભરેલાં છે. यस्त्वास्मरतिरेव: स्यात ॥ सुखमात्यन्तिकं यतद ॥ અને यं लभ्वा चापरं लाभं मन्यते नाधिकं ॥ ટૂંકામાં ટૂંકી અને જાડા માણસ સમજે એવી જાડી વ્યાખ્યા જોઈએ તો એ કે બીજાના સુખને માટે જીવવું અને બીજાને સુખી જોવા, એના જેવું બીજુ એકે સુખ નથી.
રોમે રોલાએ બાપુની સ્વિટઝર્લેન્ડની એટલે રોલાંની મુલાકાતનું એક અતિશય જીવંત વર્ણન, રમૂજ અને તાજગીથી ઊભરાતું વર્ણન, એક અમેરિકન મિત્રને લખેલા કાગળમાં લખ્યું છે. એમાં એ બાપુની અને પોતાની ભેટને સાધુ ડોમિનિકની અને સંત કાન્સિસની મુલાકાત સાથે સરખાવે છે. ડોમિનિક રોલાં કે ગાંધીજી ? મુલાકાત લેવા તો ડોમિનિક ગયા હતા. પણ ડોમિનિકના કરતાં ક્રાન્સિસના જીવનની તુલના ગાંધીજીના જીવન સાથે વધારે થઈ શકે કદાચ. આખો કાગળ એટલા બધા હળવા વિનાદોથી ભરેલો છે કે આ તુલનામાં ઉપર ઉપરની તુલના ઉપરાંત બહુ નહીં હોય. છતાં જરા વિચારવા જેવું છે ખરું. અને ડોમિનિક કે ફ્રાન્સિસ બેમાંથી ગમે તેની સાથે પોતાની સરખામણી કરવી એ જબરદસ્ત આત્મવિશ્વાસ અને આત્મસ્વછતાનું ભાન સૂચવે છે. મને સ્મરણ છે ત્યાં સુધી સંત ફ્રાન્સિસ ઉગ્ર તપશ્ચર્યાની મૂર્તિ હતા, ડોમિનિક 'युक्ताहार विहार’ , ‘युक्त स्वप्नावबोध , 'कर्मसु युक्तशेष्ठ' युक्त સ્વભાવવો’, ‘મંસુ પુરણ' હતો. પણ કોણણું કહેશે કે ક્રાન્સિસ યોગી નહોતો ?
ગેટેના જીવનમાં ત્યાગ અને ભોગ, વિલાસ અને વૈરાગ અને ઊભરાય છે; પણ ભોગ અને વિલાસમાંથી આખરે એને છૂટકો ત્યાગ અને વૈરાગમાંથી જ જડ્યો છે, અને પ્રયત્નશીલ મનુષ્યને માટે સદાય આશા છે એવું અનુભવવા મૂકી ગયો છે. પ્રયત્નશીલતાનું લક્ષણ એની પ્રસિદ્ધ લીટીઓમાં દેખાય છે :
Who has not cut his bread with sorrow
Who hasn't spent the midnight hours
Weeping and watching for tomorrow,
He knows you not, Ye heavenly powers !
જેણે સંતપ્ત દિલે પોતાનો રોટલો ખાધો નથી, જેણે કાલને માટે રડીને અને જાગીને આજની રાત પસાર કરી નથી તે, હે ભગવાન, તને ઓળખતો નથી !