પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શુદ્ધ હૃદયને પ્રભાવ ૧૫૭ નામ આપવાં હતાં તે બાઈબલના દરેક નામ સાથે અર્થ હોય છે. એટલે તે અર્થે લઈને તેમાંથી ઠાવકા ગુજરાતી નામ વણી કાઢવાં જોઈતાં હતાં. “ આ બધું લખતાં છતાં તમે પુસ્તક છપાવવાનો આગ્રહ રાખે તો તે માત્ર ટપાલખચ લઈને કોઈને આપવાની જરૂર નથી. પડતર કિંમતે આપતાં પણ લોકો ન લે તો ભલે ન લે. તમારું નામ હશે એટલે પુસ્તક ખપશે તે ખરું જ. એને પુસ્તક પરીક્ષા રૂપે ન માનો. તમારું કામ લેખકનું છે. પડતર દામ પણ ન આપી શકે એવાને પુસ્તક આપવું હશે તે તે કાઈ એવું કામ કરનારી પરોપકારી સંસ્થા કરે. એક માણસ બે છેડે ન ચડે એ જ ઠીક. પેલા ૧૫૦ રૂપિયા ભલે વ્યાજ ખાઈને વધ્યાં કરે. k&મે ધાયું હતું તેના કરતાં બહુ વધારે લખાયું છે. વળી મેં સારી પેઠે મારા ઊભરા કાઢહ્યા છે. એટલે હું માહમાં પડવ્યો અને આ રજિસ્ટર કરવામાં પૈસા ફેકવાનો છું. ચાલતાં ચાલતાં ફેરવાય એટલા સારુ તો તકલી નથી ગમી ના ? તકલી પણ નિરાંતે ચલાવાય. અતિ લોભ તે પાપનું મૂળ. તમારી સાધના શરીર વજી સમ કરવાની છે.” બીજા કાગળા ગઈ રાત્રે લખાયા. આજની ટપાલની વિવિધતા અને બેધકતા અસાધારણ કહેવાય. જે પ્રતિક્ષણ સત્ય અને અહિંસાનાં દર્શન કરતા જીવે છે તેને કારાવાસ શું અને મુક્તિ શું ? એની એક લીટી કે એક વિચારમાત્ર જગહિતને માટે પૂરતા છે. આ અનુભવ પ્રતિક્ષણ થાય છે, અને આજની ટપાલ સવિશેષ કરાવે છે. વિચાર – શુદ્ધ હૃદયથી થતા વિચાર -ના બળના પ્રભાવ વિષેની સાક્ષી પૂરતો આ કાગળ જુઓ : સતીશબાબુના પથારીવશ પુત્ર અરુણને :

  • You must not give way to despair. Even organic defects have been known to have been removed or at least brought under control. Proper breathing, proper diet and fresh air added to the will to be better, brings the desired recovery. You should have a living faith in God and know He will keep your body intact so long as He has use for it.

"And why do you think that we can serve only with the body ? Mind is a far more powerful instrument of service. Those serve best who have perfect purity of heart. Indeed, we serve so as to attain perfect purity. Thoughts of the pure in heart can do what the bodies with corrupt You shouloody intact what we can be insta