લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશાનું માપ હું સારી રીતે કરી શકું છું. તમને હું મારા અનુભવને સંપૂ લાભ આપીશ. તમારાથી લેવાય તેટલું તમે લેશે અને એ બધું તમે આવશે ત્યારે જ થઈ રહેશે. આપુના આશીર્વાદ માથેગન ગયા. ત્યાં તેર દિવસ રહ્યા. તા. ૧૩-૧૨-૧૮ને રાજ ત્યાંથી નીકળ્યા. ૧૪-૧૨-૧૮થી મુંબઈમાં રહ્યા. તા. ૬-૧-૧૯ના ૨૦-૨-'૧૮ રાજ ઍન્ડ્રૂઝને નીચે પ્રમાણે કાગળ લખ્યા: થી ૬--', ' ૮ મારી તબિયતમાં ચડઊતર થયાં કરે છે. તેથી હું ટેવાઈ ગયા છું. તેથી હું જરાયે ગભરાતા નથી. કારણ હું જોઉં છું કે આ લખાતી માંદગીમાંથી હું ઊડી શકે તે પહેલાં ઘણી ચડઊતર થયાં કરશે. આ ક્ષણે તો હું તદ્દન સાો દેખાઉં છું. મારે કેટલાંક ઇન્જેક્શન લેવામાં સમત થવું પડ્યુ છે અને તેની ધાર્યા પ્રમાણે અસર થઈ છે. એ ઇન્જેક્શને ભૂખને જાગ્રત કરવા માટે હતાં. અને મારે કબૂલ કરવુ જોઈએ કે અત્યારને! મારા ખારાક ગુણમાં તેમ જ જથ્થામાં અકરાંતિયાને પણ અદેખાઈ કરાવે તેવા છે. પણ એમાંથી પાછે હું ચારે ઊથલા ખાઈશ તે કહી શકાતું નથી. હું ધારું છું કે બહુ ચોક્કસ નિરીક્ષણ કરનાર હાય તે તે સમયપત્રક આંધી શકે અને હવે પછીના ઊથલેા ચારે આવો અને ત્યાર પછીના બીજા કયારે આવશે તેની આગાહી કરી શકે. અત્યારે હું બહુ પ્રખ્યાત દાક્તરની સારવાર નીચે છું. એ મને પંદર ઇન્જેક્શને આપવા ઇચ્છે છે જેમાંનાં અત્યાર સુધીમાં ચાર અપાયાં છે. એટલે મારી સામેના ચિતાર જરાય અનંદદાયક નથી. અને સાય ભોંકાય છે. એ તે જરૂર આનંદ આપે એવી નથી હાતી. પણ જીવવા માટે શું શું વેવા આપણે તૈયાર નથી થતા ? “ મેં છાપામાં વાંચ્યું કે કલકત્તાના બિશપ ગુજરી ગયા છે. એમની ખોટ તમને ભારે લાગશે. પશુ સાથે સાથે મને એ વિચાર પણ આવે છે કે તે દુઃખમાંથી છૂટ. હું મારી સગવડતા વિચાર કરતાં તે તમે મિસ કેરિ’ગને ખેલપુર માકમાં છે તે સારું જ કર્યુ છે. પણુ તમારાં કામે મને આવેગમાં કરેલાં જણાય છે. હવે તમે મને ખાતરી આપે છે કે તેણે તમારું સ્થાન બરાબર લીધું છે એટલે મારે કાંઈ કહેવાનું રહેતું નથી. જોકે મિસ ફેરિંગના કાગળ ઉપરથી મને એમ લાગેલું કે શાંતિને તનમાં ઉપલાં ધેારણનું અગ્રેજી લેવાનું એને ફાવતું નથી. અથવા એમ કહીએ તાપણુ ચાલે કે નીચલાં ધોરણનું પણ ફાવતું નથી.

૨૧૬

૨૧૬