૨૬-૪-'૬૮ કૉન્ફરન્સમાં એ વાકય ઉર્દૂમાં ખેલી રાવ રજૂ કરી આવ્યા. માલવિયાજી બપોરે મળવા આવ્યા. મહાભારત અને પુરાણામાંથી સતિ- શાસ્ત્ર ઉપર વાત કરી. શ્રીકૃષ્ણ અને સત્યભામા, પુંડરીક અને સાંખ, ખાર વર્ષના બ્રહ્મચર્યનાં ફળ, વાંદરાં તથા પક્ષીઓમાં પ્રેમભાવ, આનંદ, નિર્દોષ જીવન વગેરે ઉપર વાત થઈ. માલવિયાજીના ભાષણુ ઉપર વાત કરતાં બાપુ મેલ્યા : હવે એમની શક્તિ ખલાસ થઈ ગઈ છે. સર કૉંાડ હિલ સાથે વાતો થઈ. ગઈ કાલની વર્તણૂક માટે એ શરમાય. વાઈસરોય ઉપરને પત્ર લખાવા માંડયો. ઘેાડી વાર મને લખાવ્યા, રાત્રે ઍન્ડ્રુઝને. જોવા માંડયો. એક વાગ્યા સુધી સુધારા થયા. વાઈસરોયની કૉન્ફરન્સમાં જવાની ખબર આપતાં તેમના ખાનગી મત્રીને લખેલું : “ ભય અને કપ સાથે એક ફરજ ખાતર પરિષદમાં ભાગ લેવાનું મે નક્કી કર્યું છે. વાઈસરૉય સાથેની મુલાકાત પછી અને ત્યાર પછી તમને મળ્યા પછી મને લાગે છે કે હું બીજું કાંઈ કરી શકું નહીં.” તેને ઉત્તર આ પ્રમાણે આવેલા: “ તમારાં ભય અને કપ સાથે 'માં વાઈસરૉય માનતા નથી, હું પણ નથી માનતો. .. “ તમે પરિષદમાં ભાગ લેશે એ સાંભળીને વાઇસરોય અહુ રાજી થયા છે. મેં સર ક્લાડ હિલને ખબર આપી છે કે તમે મનુષ્યબળ કમિટીમાં પશુ ભાગ લેશેા. એ અગિયાર વાગ્યે મળે છે.” રાત્રે વાઇસરોયની ઉપરને પત્ર લખાતો હતેા ત્યાં મેકીને પત્ર આવ્યો. : ૬ ૮ ભાઈશ્રી ગાંધી,
અત્યારે હું જોઉં છું કે આજ સવારની ધમાલમાં તમારા કાગળના છેલ્લા ભાગ મે વાંચેલો જ નહીં. એટલે તમારા પહેલા પ્રશ્નને — તમારા ભાષ વિષેને – મેં જવાબ આપેલે. “તે વિષે હું કહું કે તમારી હાજરીની, તમે જે સાદા શબ્દો કહ્યા, અને જે રીતે એ કથા તેની વાઈસરોય ઉપર બહુ જ અસર થઈ છે. યુદ્ધપ્રયાસને માટે અવકાશ છે એમ તમને લાગે છે તેથી હું બહુ રાજી થયો છું. એ કામની ખૂબ જ જરૂર છે અને તે માટે તમને દિલગીરી નહી જ થાય. હક્ક મેળવવા માટે આગ્રહ કરવા એ હંમેશાં તે મેળવવાને
૯૨
૯૨