પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
સાધ્વી લુઇસા

લુઈસા — “હું ઈચ્છું છું કે, આપ મને હજુ ઘણું વધારે ધન આપો એટલે હું ગરીબ અને અનાથ લોકોની વધારે સેવા કરૂં.”

રાજા — “બોલ, કેટલું ધન આપુ ?”

લુઇસા —“એક દયાળુ રાજાનું હૃદય જેટલું આપી શકે તેટલું ધન મારે જોઇએ.”

રાણીની વાત સાંભળીને રાજાનું હૃદય હર્ષથી છલકાઈ ગયું.એણે તરતજ હસતે મુખે રાણીના હાથમાં પુષ્કળ ધન સોંપ્યું. એ ધનદ્વારા રાણી લુઇસા ગરીબ અને માંદાઓની સેવા કરી તેમનાં દુઃખ નિવારણ કરવા લાગ્યાં. ગરીબો તેમને દયામયી માતા ગણીને એમના તરફ ભક્તિ દાખવવા લાગ્યાં.

રાણી લુઇસા અને તેમના સ્વામી એક વાર પોસ્ટડેમની પાસે પારેઝ નામના એક ગામડામાં ગયાં. એ ગામ બહુ સુંદર હોવાથી એમણે થોડા દિવસ સુધી એમાં વાસ કર્યો. એ ત્યાં એવી સાદાઈથી રહેતાં અને એવા પ્રેમથી લોકો સાથે હળતાં કે એ રાણી છે એ વાત લોકો થોડા સમય માટે ભૂલી ગયા હતા. કરુણાભર્યા આનંદોજ્જ્વલ મુખ સાથે રાણી ગરીબોને ઘેર જતાં અને નાના પ્રકારની વાતોથી તેમને સુખી કરતાં. કોઈ કોઈ વાર મિઠાઇ મંગાવીને બાળકોને ખવરાવતાં. કદી કદી રસ્તામાંનાં નિરાધાર બાળકોને પોતાના ખેાળામાં લઇને રમાડતાં. પ્રશિયાની રાણીનું એ કાર્ય જોઇને લોકો વિસ્મય પામતાં. રાણી એ દિવસોને પોતાના જીવનના સુખી દિવસો ગણતાં અને કહેતાં કે, લોકો મને ‘શ્રીમતી મહારાણી સાહેબ’ કહીને બોલાવે છે તેના કરતાં એ લોકો ‘દયાળુ બાઈ’ કહીને બોલાવે છે તે વધારે ગમે છે.

લુઇસાને લખતાં વાંચતાં સારું આવડતું હતું. ઉત્તમ ગ્રંથો વાંચવાનું એમને બહુ ગમતું. એમણે વિદ્વત્તાપૂર્ણ અનેક નિબંધો લખ્યા છે. સરળતા, કોમળતા અને વિનયથી એમનો સ્વભાવ બહુ મધુર થઇ ગયો હતો. લોકોનાં દુઃખ જોઈને એમનું હૃદય રડી ઉઠતું, દુ:ખથી પ્રેરાઈને એ વિષાદ સંગીત ગાતાં. એમના કંઠમાંથી નીકળતાં વિષાદગીત સાંભળીને પથ્થરનાં હૈયાં પણ દયાથી પીગળી જતાં અને આંસુ ખાળવાં એ તેમને માટે વસમું થઇ પડતું.

ઇ. સ. ૧૭૯૭ માં લુઇસાના પ્રથમ પુત્રનો જન્મ થયો. એજ પ્રથમ વિલિયમ હતો. એને હાથે જર્મન સામ્રાજ્યની સ્થાપના થઈ.

રાણી લુઇસા જેટલાં વર્ષ જીવ્યાં તેટલાં વર્ષ દુઃખીઓના