પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
પરિશિષ્ટ

તથા પુષ્પથી શોભાયમાન કરી સમાધિસ્થાનમાં મોકલી દેતી.

૪ – શીતળાનો રોગ (ઇ. સ. ૧૮૭૫)

ઈ. સ. ૧૮૭૫ના ફેબ્રુઆરીના પ્રથમ ભાગમાં વાલ્સલમાં ફરીથી ભયંકર શીતળાનો ઉપદ્રવ જાગ્યો. જોતજોતામાં તો આ રોગ લગભગ ઘેરઘેર વ્યાપી ગયો. ૧૮૬૮ માં શીતળાના સપાટા વેળાએ કામદારોએ નગરની બહાર શીતળાના રોગી માટે એક નોખું આશ્રમ તૈયાર કર્યું હતું અને બીજા પણ કેટલાક ચેપી રોગને માટે આ આશ્રમ ખુલ્લું મૂક્યું હતું. પરંતુ લોકો તે વખતે ત્યાં જવા ચાહતા ન હતા.

રોગની શરૂઆતમાં જો સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે તો તે વિશેષ ફેલાય નહિ અને વધુ માણસના જીવ જાય નહિ. કામદાર લોકો સૌના ભલા માટે પીડિત માણસને આ આશ્રમમાં લાવવા ચાહતા, પણ મૂર્ખ માણસો જનસમાજના ભલામાં સમજતા નહોતા. પોતાનાં ઘર અને સગાંવહાલાં છોડી પારકાની પાસે રોગીઆશ્રમમાં રહેવા કરતાં પોતાનાં સગાંવહાલાં સાથે પોતાનીજ ઝુંપડીમાં પડી રહેવું તેઓ સુખદાયક સમજતાં. આથી જે આશાએ મ્યુનીસિપાલીટીના કારભારીઓએ આશ્રમ તૈયાર કરાવેલું તે આશા સફળ થઈ નહિ. કારભારીએ આ રોગ કેમ અટકાવવો તેના ભારે વિચારમાં પડ્યા.

પહેલાં જ્યારે શીતળાનો ઉપદ્રવ જાગ્યો હતો ત્યારે દોરા બહેને નિશ્ચય કર્યો હતો કે, ભવિષ્યમાં કદાચ આ રોગ જોવામાં આવે તો તેને પ્રથમથી જ અટકાવવો. આ વખતે જ્યારે એણે જાણ્યું કે, લોકો કામદાર ને પોલીસના ભયથી કેસ અંદર અંદર છુપાવે છે, ત્યારે તેણે મુખ્ય કારભારીને લખી મોકલ્યું કે, ઉડતા રોગનું આશ્રમ જલદીથી ઉઘાડવું જોઈએ. હું હાલનું કામ છોડી જેટલા દિવસ જરૂર જણાશે ત્યાંસુધી તે આશ્રમમાં રહી રોગીની સેવા કરવા તૈયાર છું. કારભારીઓ આ વાત સાંભળતાંજ ઘણા આનંદ પામ્યા. તે સારી પેઠે જાણતા હતા કે, બહેન દોરાનું નામ સાંભળતાંજ લોકો આતુરતાથી આશ્રમમાં આવશે. રોગીને સમજાવીને આણવા પડશે નહિ. એની મેળજ તેનાં સગાવહાલાં આવી મૂકી જશે.

પરંતુ એક વિચાર ઉદય થતાં તેમના મનમાં કષ્ટ થવા લાગ્યું. એક બાજુ ભવિષ્યની પીડાથી ઘણા લોકોના જીવ બચશે એવું જોઈ