પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
પરિશિષ્ટ

માટે પણ વિચાર કરો તો જણાશે કે, તમે વૃદ્ધ થયા છો, તો પણ તમે બાળકજ હો એવું તમને લાગે છે.

અમે માનતા કે, એ વૃક્ષમાં બે ભૂત રહે છે. ગામનો કોઈ પણ માણસ શોકાતુર હોય, તો તેને માટે ચર્ચા થતી અને ઠેકાણે ઠેકાણેથી આવાં વાક્યો સંભળાતાં કે “પેલાને સ્વપ્નમાં આપણું વૃક્ષ આવ્યું છે. તે માણસ પાપી છે, અને તેને ચેતવણી પ્રભુ તરફથી મળી ચૂકી છે.”

ભૂત-પ્રેતની વાતમાં કંઇક સત્ય રહેલું છે. શંકા અને વહેમથી આવી વાતોને ભરપૂર ગણી ધૂતકારી કાઢવાની નથી. અમુક બીના સર્વદા બનતી હોય, અને એમ વર્ષોનાં વર્ષો સુધી ચાલ્યા કરે, તો તે સત્યજ છે એવું સાબીત થાય છે. મને પણ પ્રત્યક્ષ એવો અનુભવ મળ્યો છે કે, તે વૃક્ષ મૃત્યુનું આવાગમન સૂચવતું.

પ્રાચીનકાળથી ઉતરી આવેલા રિવાજ મુજબ છોકરાઓ હાથ જોડી આ વૃક્ષની આસપાસ નાચતા અને એક ગીત ગાતા. ગીત સાદું હતું, પણ નાનાં બાળકોનો મધુર સ્વર તેને અપ્રતિમ મીઠાશ આપતો. અજાણ્યા માણસ તે ગીત ભાગ્યેજ સમજી શકતા. તે ગીત બહુ નાનું હતું, પણ અમારે મન તો તે સ્વર્ગનો સંદેશોજ હતુ. જોન ઑફ આર્ક અમારી સાથે આ ગીત નાચતી નાચતી ગાતી:

પ્રિય વૃક્ષનું ગીત

તુજ પાન પરે મુજ આંસુ સરે;
નિત રહે કૂમળાં મૂજ આંસુ ઝરે !
બહુ દુઃખ કથ્યાં દિલનાં તુજને,
દીધ સાંત્વન તેં મીઠડું મુજને !
નહિ કાળ તણી કરૂં હું ગણના,
મધુરા સૂર હું સરૂ જોબનના !
ભમું હું કદીએ પરભોમ મહીં;
વસજે મુજ અંતર તુંય તહીં !

અમે જ્યારે આ ગીત ગાતા, ત્યારે છેલ્લી લીટીઓ

“ભમુ હું કદીએ પરભોમ મહી',
વસજે મુજ અંતર તુંય તહીં !”

ગાતાં ગાતાં આંખમાં આંસુ આવી જતાં.

અમારી નજરે કોઈ વેળા પરીઓ પડતી નહિ, કારણ કે