પાદરી બોલ્યાઃ “જોન ! તું બીજા છોકરાંઓ સાથે માળાઓ ગુંથતી હતી કે નહિ ?”
“હા.”
“પછી એ માળાઓ ડાળીઓ ઉપર લટકાવતી હતી ? ”
“ના.”
“ત્યારે ક્યાં રાખતી ?”
“આપણા દેવળમાં.”
“ત્યારે તે વૃક્ષને માળાઓ ચઢાવતી કેમ નહિ ?”
“કારણ કે પરીઓમાં પિશાચના અંશ હોય છે, અને રાક્ષસોની તેઓ સગીઓ હોય છે. તેમને માન આપવું એ પાપ છે.”
“ત્યારે તને આટલું બધું કેમ લાગી આવે છે ?”
જોનનાં નેત્રોમાં આગ વરસવા લાગી.
“સાહેબ ! આમ શું બોલો છે ? ફ્રાન્સનો ધણી કોણ છે ?”
“એક તો ઈશ્વર. પછી આપણા વિજયી રાજા.”
“કોઈ રાક્ષસ તો નહિજ ને ?”
“નહિજ વળી.”
“ત્યારે આટલાં વર્ષ કોણે તેમને ભાખરી આપી ? કેણે તેમનું રક્ષણ કર્ચું ?”
“પરમેશ્વરે. કારણ કે પરમેશ્વર જાણે છે કે, દુનિયા મારું ઘર છે, અને તેથી દુનિયામાં રહેનાર પ્રાણીઓને સુખ મળવું જોઈએ. પરીઓ ધારત તો બાળકોને હાનિ પહોંચાડત, પણ હજીસુધી પહોંચાડી નહોતી. રાક્ષસ ? ? રાક્ષસ એટલે શું થઇ ગયું ? રાક્ષસોને પણ હક્ક હોય છે, અને એ હક્ક તેમને મળવા જોઇએ ! હું રાક્ષસો માટે પ્રાર્થના કરીશ. તેઓ પાપી છે, તેથી તો મારે તેમની દરકાર કરવી જોઈએ. ગરીબ બિચારા રાક્ષસો ! માણસો પોતાનાં છોકરાંઓ ઉપર પ્રેમ રાખે છે; પણ તેઓ રાક્ષસ, પાપી અને અધમ ઉપર પ્રેમ રાખતાં નથી. રાક્ષસ, પાપી અને અધમ મનુષ્યોપર પ્રેમ રાખવાની આવશ્યકતા હજાર દરજ્જે વધારે છે. ધરાયલાને ખવરાવશો તેમાં શું ? ભૂખ્યા હોય તેને જમાડવાથી કંઈક વળશે. જેના ઉપર કાઈનો પ્રેમ નથી, જે પ્રેમનાં તરસ્યાં હોય, તેમના ઉપર પ્રેમ કેમ ન રાખવો ? ”
ક્રોધના આવેશમાં આવી જોન પગ પછાડવા લાગી. આંખમાંથી આંસુની રેલ તો ચાલુજ હતી. પછી એકદમ શુદ્ધિમાં આવી