પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
પરિશિષ્ટ


આ બનાવથી આખું ગામ આશ્ચર્યચકિત થયું. નાના કુમારો અને નાની કુમારિકાઓ જોન તરફ આંખો વિકાસી ટગર ટગર જોવા લાગ્યાં. આ બનાવ પછી અમે જોનને વીરબાળા કહી બોલાવતાં. હવે તે ગામમાં જ્યાં જુઓ ત્યાં જોનનીજ વાત થતી.

અમે ગામમાં આવ્યા, એટલામાં તો તે ગાંડા માણસને સ્વાધીન કરી લેવામાં આવ્યો હતો. બધાં માણસો અજાયબી ને અજાયબીમાં ચોકમાં ભેગાં થયાં હતાં, અને એક નાનકડી છોકરીના આવા શૂરવીર કામથી આશ્ચર્ય પામતાં હતાં.

બધી સ્ત્રીઓ જોનને ચૂમી લેવા લાગી, તેની પ્રશંસા કરવા લાગી અને કોઇ કોઇ તો હૈયું હાથમાં નહિ રહેવાથી હુર્ષનાં આંસુ સારવા લાગી. પુરુષો પણ તેને શાબાશી આપતા હતા.

અમે જોનની આસપાસ ભેગા થયા, અને તેની આટલી હિંમત કેમ ચાલી, તેને માટે પૂછપરછ કરવા લાગ્યા. જોન ફૂલાયા વગર બોલી કે :–

“એમાં તે શું ? તમે મને ખાલી ચઢાવો છો. એ તમારી ભૂલ છે; એમાં કંઈ વાઘ મારવાનો નહોતો. હું કંઇ તેનાથી અજાણી નથી. લાંબા વખતથી એ પણ મને જાણે છે. મેં તેને ઘણી વાર તેના કારાગૃહની જાળીમાંથી ખાવાનું આપ્યું છે. ગયે વર્ષે ગામનાં માણસોએ તેની બે આંગળી કાપી નાખી હતી, ત્યારે તે મટતાં સુધી દરરોજ હું તેને મલમપટો કરતી.”

એકે પૂછ્યું – “તને એની બીક ન લાગી ?”

“નહિ.”

“કારણ”

“તે હું જાણતી નથી.”

બધાં હસી પડ્યાં. બકરાએ વરૂને કેમ વશ કર્યું હશે ? એના જેવીજ આ વાત વિચારવા જેવી થઈ પડી હતી. થોડીક વાર પછી અમારો એક દોસ્ત બોલ્યો :–

“ત્યારે તું દોડી કેમ ન ગઈ ? એ ગાંડાનો વિશ્વાસ શો ?”

“હું પણ સૌની પેઠે દોડી જાઉં, અને તેને પાછો પિંજરામાં ન પૂરાવું તો તો ઉલટા તે બીજાને હાનિ કરે, અને તેથી તેને ૫ણ શિક્ષા ખમવી પડે.”

જોનની આ વાણી સૂચવે છે કે, તે હમેશાં પોતાના સ્વાર્થને ભૂલી જઈ સામાનોજ વિચાર કરતી. પરોપકાર અર્થે જ તે બધું