પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
પરિશિષ્ટ

નહિ તેની ખાત્રી કરવા સારૂ તે વૃક્ષ ઉપર મેં ચિહ્‌ન કર્યું, પછી બીજી વખતે તે ચિહ્‌ન તપાસવાનો ઠરાવ કર્યો.

(૮)

જોન મને બૂમ પાડીને બોલાવતી હતી. આથી હું આશ્ચર્ય પામ્યો. કારણ કે હું ત્યાં હતો, એવી તેને ખબર નહોતી. મારા મનમાં મેં માન્યું કે, આ સર્વ સ્વપ્ન હોઇ પરીઓની મોહજાળ છે. મેં મારી છાતી ઉપર ક્રૉસનું ચિહ્‌ન ધારણ કર્યું. ઘટામાંથી બહાર નીકળ્યો કે જોનને મેં જોઈ. તેનું મોં ઘણું પ્રકુલ્લિત હતું. દિવ્ય પ્રેરણાથી પ્રેરિત થઈને આ સૃષ્ટિમાં આવતી હોય, એવી તે લાગતી હતી. જાણે તેણે નવું જીવન મેળવ્યું હોય, એવી તેની કાંતિ દેખાતી હતી. આનંદમાં ને આનંદમાં મેં તેની પાસે દોડી જઈ કહ્યું :—

“જોન ! મને એક સ્વપ્નું આવ્યું, અને એ સ્વપ્નામાં તું અહીંજ ઉભી હતી—”

“નહિ, નહિ, સ્વપ્નું નહિ.” હાથ હલાવી જોન બોલવા લાગી.

મારું હૃદય ધબકવા લાગ્યું અને મને બીક લાગી.

“જોન ! શું સ્વપ્ન નહિ ? તને કેમ ખબર પડી ?”

મારું શરીર ઠંડુગાર થઈ ગયું. કારણકે હવેજ મેં જાણ્યું કે, મેં જે જોયું હતું, તે સર્વ ઇંદ્રજાળ ન હતી. જે પવિત્ર ભૂમિ ઉપર એક વેળા સ્વર્ગીય છાયા ઝૂકી રહી હતી, તે પવિત્ર ભૂમિને મારા પાપી પગોએ અપવિત્ર કરી હતી.

“હું અહીં હતો એ ખબર તને કેમ પડી ?” “પેલી છાયા કોની હતી ?” “ક્યાંથી આવી હતી ?” “શા માટે આવી હતી ?” વગેરે પ્રશ્નો ઉપરાઉપરી હું જોનને પૂછવા લાગ્યો.

“બાપુ ! બ્હીશ નહિ. એ તો સ્વર્ગના સૈન્યનો સરદાર મીશલ હતો.” જોન બોલી.

મેં ધ્રુજતાં ધ્રુજતાં કહ્યું : “જોન ! તને ડર ન લાગ્યો ? તેનું મુખ તે જોયું ? તેની છટા તેં જોઈ ?”

જોને હસીને જવાબ દીધો : “આ કંઇ પહેલોજ વખત નથી. ત્રણ વર્ષ ઉપર આ છાયા મને પહેલવહેલી દેખાઈ હતી, અને હવે તો તે વારંવાર દર્શન દે છે.”

“હં, તેથીજ તારા સ્વભાવમાં આટલો બધો ફરક પડી ગયો. તેથીજ તું ગંભીર રહેતી. હવે મને બધી ખબર પડી. પહેલાંજ તેં મને કેમ ન જણાવ્યું ?”