પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
પરિશિષ્ટ

ર-રાજ્ય કુટુંબમાં અને રણસંગ્રામમાં

(૧)

૫ મી જાન્યુઆરી ૧૪ર૯ ને દિવસે જોન પોતાના મામાને સાથે લઈ મારી પાસે આવી અને કહ્યું:—

“વખત આવી પહોંચ્યો છે. હવે મને દેવો તરફથી સ્પષ્ટ સંદેશાઓ મળે છે. બે મહિનાની અંદર હું યુવરાજને મળીશ.”

જોનનું મનોબળ અપ્રતિમ હતું. તેની છટા યોદ્ધાના જેવી હતી. તેના મનોબળે મારા હૃદયમાં ઘણો જુસ્સો રેડ્યો. રણમાં જ્યારે સિંહનાદ ગાજતો હોય ત્યારે જેવું શૂરાતન ચઢે, એવું શૂરાતન મારા હૈયામાં ધડકી રહ્યું હતું.

“મને શ્રદ્ધા છે તારા વચનમાં” મેં કહ્યું.

“અને મને પણ શ્રદ્ધા છે ” જોનના મામાએ કહ્યું “તને પ્રેરણા થયા પહેલાં આ વાત મને કરી હોત, તો હું કદી પણ માનત નહિ; પણ હવે તારી છટાજ એ પ્રેરણા પછી એવી જાતની થઈ છે, કે તું જે કહે છે, તે હું સત્ય માનું છું – મને સત્ય માનવાની ફરજ પડે છે.”

“મારા મામા મારા ઉપર બહુજ મહેરબાની રાખે છે.” એમ તે મને વારંવાર કહેતી. “પણ વારૂ” તે મને સંબોધીને બોલી “તે દિવસે તારા ડાબા હાથ તરફ બે જણ બેઠા હતા, તે કોણ હતા ?”

“મેટ્ઝ અને પોલન્ઝી.”

“એ બન્ને શૂરવીર યોદ્ધાઓ જાણે મારાજ માણસ હોય, એમ મેં તે વખતે માની લીધું હતું.”

મારાથી આ મનાયું નહિ; વળી હું હંમેશાં સત્યનિષ્ઠ રહું છું.

“જોન ! તે બન્ને તને ગાંડી ગણતા હતા. એ તો સાચી વાત કે, તેઓની તારા ઉપર માયા હતી; પરંતુ તે માત્ર તેઓ તને ચિત્તભ્રમ ગણતા હતા તેથીજ.”

જોન મારા શબ્દો ન ગણકારતાં બોલી: “ડાહ્યા હોય છે તે પોતાની ભૂલ જલદીથી સુધારે છે; તેઓ મારી સાથે કૂચ કરશે, અને તે પણ થોડાજ વખતમાં. હજી શું તું માનતો નથી ? હજી તને શ્રદ્ધા નથી ?”

“માફ કરજે જોન! તેઓ તો માત્ર મુસાફરી કરતા કરતા એકજ દિવસ ત્યાં રહેવાના હતા. તેઓ એ કિલ્લામાં રહેતા પણ નથી.”

“તેઓ પાછા આવશે; પણ હવે જવા દે એ વાત, થોડાજ દિવસમાં