પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

તો તે ભવિષ્યવાણી જેવું લાગ્યું અને તેથી હું બ્હીની.” જોનની સખી જતાં જતાં બોલી:–

“ભવિષ્યવાણી જેવું લાગ્યુ ? મને ખબર હતી કે એ ભવિષ્યવાણી છે.” હું રડતો હતો. ધ્રૂજતી ધ્રુજતી જોન સચેત થઇ. પછી ખુરશી ઉપરથી ઉઠી એકદમ મારી પાસે આવી, દયાની નજરથી મારા કપાળ ઉપર પોતાનો હાથ મૂકી તે બોલી:–

“બાપુ ! તને શું દુઃખ છે ? મને કહેની ?”

મારે જૂઠું બોલવું પડ્યું. મેં એક ફાટેલો કાગળ લઈ કહ્યું કે આમાં મને એક મિત્રે લખ્યું છે કે, પરીઓવાળું આપણું વૃક્ષ કોઈ દુષ્ટ પુરુષે કાપી નાખ્યું છે.

જોનની આંખ પણ પાણીવાળી થઈ ગઈ. પછી તે બોલી:—

“અરે ! કેટલું ભયંકર ! કેટલું ભયંકર ! એવો કોણ દુષ્ટ હશે કે આપણા વૃક્ષને કાપી નાખ્યું ? અરે ! એ વૃક્ષને આપણે કેટલું ચાહતાં હતાં ? ! એ વૃક્ષનું ગીત તો બોલ.” હું બોલવા લાગ્યો:–

તુજ પાન પરે મુજ આંસુ સરે,
નિત રહે કુમળાં મુજ આંસુ ઝરે !

એમ બોલવા લાગ્યો અને છેવટે આ લીટીઓ બોલ્યો, ત્યારે તેને આંસુ આવ્યાં.

ભમું હું કદિયે પરભોમ મહીં,
વસજે મુજ અંતર તું ય તહીં !

એવામાં રાજાનો દૂત જોન માટે કાગળો લઈ આવ્યો, અને અમારી વાતચીત ત્યાં પૂરી થઈ.

(૧૮)

જોને પહેલાં પણ રાજાને પોતે જીવતી હોય ત્યાંસુધી બનતા લાભ લેવાનું કહ્યું હતું. કારણ કે તેની જીંદગી ફક્ત એક જ વર્ષ પહોંચવાની હતી. તે વખતે એ જોનના શબ્દો ઉપર એટલું ધ્યાન આપ્યું નહોતું, પણ હવે મારા મનને ખાત્રી થઈ. આજ સુધીમાં તો બધા જોનના શબ્દો ભૂલી ગયા હતા. કારણ કે તે શબ્દો યાદ કરવા કોઈને સૂઝ્યું નહિ–એટલો બધો તેઓને જોન ઉપર પ્યાર હતો. ખરેખર, મારા સિવાય એ વાત કોઇને સાંભરતી નહોતી. મારા મન ઉપર આ ભારે બોજો હતો. હજી જોન પૂરી યુવાવસ્થામાં પણ આવી નહોતી, એટલામાંજ શું તેનું મૃત્યુ થશે ?

પણ હવે આવા વિચાર કરવાના નહોતા. સવારના પહોરમાં