પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
પરિશિષ્ટ


મારું હૃદય ધબકારા મારવા લાગ્યું. હા ! હજી તે એજ જોન ઑફ આર્ક હતી ! હજીએ તે ભયને પીછાનતી નહોતી.

તે પોતાની જગ્યાએ પહોંચી કે સાંકળો ભેગી કરી, ખેાળામાં લઈ તેમની સાથે ગેલ કરતી તે તુરત બેસી ગઈ અને અભિમાનથી ચારે તરફ જોયું. આ મંડળીમાં માત્ર તેનું જ દિલ શાંત હતુ. એક અંગ્રેજ યોદ્ધાથી રહેવાયું નહિ અને વીરની માફક તુરત તેણે જોનને સલામ ભરી. જોને હસતાં હસતાં તે ઝીલી. ચારે બાજુ હર્ષનાદો થયા, અને તે શાંત કરતાં ન્યાયાધીશને બહુજ મહેનત પડી.

હવે આ ઈતિહાસપ્રસિદ્ધ મુકદ્દમો શરૂ થયો. પચાસ પ્રવીણ ધારાશાસ્ત્રીઓ એક અજ્ઞાન બાળા સામે હતા. તે બાળાને મદદ કરવા કોઈ નહોતું !

ન્યાયાધીશે પહેલાં તે મુકદ્દમાની બાબત ટુંકમાં જણાવી. ત્યારપછી પોતે દરેક બીના સત્યનિષ્ઠાથી કહી જશે, એવી પ્રતિજ્ઞા જોન પાસે લેવરાવવા માટે તેને સોગંદ ખાવા કહ્યું.

જોન છેતરાઈ નહિ. આ નિર્દોષ દેખાતા શબ્દોની પાછળ કંઈ ભયંકરતા પણ છુપાઇ હોય, એમ તેને લાગ્યું. જોને ઉત્તર વાળ્યો :–

“નહિ; કારણ કે હું જાણતી નથી કે તમે મને શું પૂછશો; હું તમને જણાવી ન શકું એવી પણ બાબતો તમે મને પૂછો તો ?”

જોનના આવા શબ્દોથી ન્યાયાધીશો ક્રોધે ભરાયા; પણ જોનને મન તો શાંતિજ હતી. કોશન બાલવા મથ્યો; પણ ક્રોધને રોકી ન શકવાથી, તેનો સાદ ગુંગળાઈ ગયો. તેણે છેવટે કહ્યું :–

“પ્રભુનું નામ લઈને અમે તને કહીએ છીએ કે, તારા આત્મામાં હોય તે સાચેસાચું બોલી જા ! ધર્મ પુસ્તક ઉપર હાથ મૂકીને તું કહે કે હું સર્વદા સત્યજ કથીશ.” આમ કહી તેણે પોતાનો હાથ મેજ ઉપર જરાક ગુરસામાં પછાડ્યો, પણ જોને ડગ્યા વિનાજ ઉત્તર દીધો :–

“મારાં માતાપિતાની બાબતમાં તથા મારી પ્રવૃત્તિ અને કૃતિઓ વિષે હું સત્યનિષ્ઠાથી જવાબ આપીશ; પરંતુ પ્રભુ તરફથી મને જે જે પ્રેરણાઓ થઈ છે, તે રાજા સિવાય કોઇને પણ નહિ જણાવવા મને આજ્ઞા કરવામાં આવી છે–”

ન્યાયાધીશનો બીજી વાર ક્રોધનો ઉભરો બહાર આવ્યો; ને જ્યાંસુધી તે શાંત થાય ત્યાંસુધી તેણે બોલવાનું બંધ રાખ્યું. જોનના ગાલ ઉપર લાલી ચઢી આવી, તે જરાક ટટાર થઇ. ન્યાયાધીશના