પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

મુખ ઉપર નજર ફેરવી અડગ હિંમતથી તેણે પોતાનું વાક્ય પૂરું કર્યું :–

“–અને મારું મસ્તક છેદી નાખો, તો પણ હું આ બાબતો જણાવીશ નહિ !”

થોડીક વાર સુધી તો ન્યાયાધીશ અને તેનું મંડળ હેબતાઈ ગયાં, જોન બાંકડા ઉપર શાંતિથી બેઠી હતી, તે જોઈ તેઓને વધુ ક્રોધ ચઢ્યો; છતાં હજી પણ જોન અવ્યગ્ર ચિત્તે હઠ પકડીને સુખેથી બેઠી હતી.

ત્રણ કલાક સુધી સોગંદ બાબત માથાકૂટ ચાલી. સઘળાઓ શ્રમિત થઈ ગયા અને છેવટે ન્યાયાધીશને જોનને આધીન રહી વર્તવું પડ્યું. જોને ધર્મપુસ્તક ઉપર હાથ મૂકી સાગંદ ખાધા, એવામાં એક યોદ્ધો ધીમેથી બોલ્યો :–

“જો તે અંગ્રેજ હોત, તો તે એક પળ પણ આ સ્થિતિમાં ન રહેત !” અહા ! જો તે આવું એક વાક્ય ઓર્લિયન્સની પ્રજાના દેખતાં બોલ્યો હોત, તો તેને માટે આખું શહેર રાઉન તરફ કૂચ કરી ગયું હોત !

અરે ! વાગ્બાણ મનુષ્યને નમ્ર બનાવી કેવાં વશ કરી લે છે ! હજી એ શબ્દોના ભણકારા મારા દિલમાં વાગે છે.

જોને સોગંદ લીધા પછી કોશને તેને કેટલાકે આવા પ્રશ્ન પૂછ્યા :–

“તારૂં નામ શું છે ?”

“તુ ક્યાં જન્મી હતી ?”

“તારાં માતાપિતાનો ઈતિહાસ શું છે ?”

“તારી ઉંમર કેટલી છે ?”

આ સવાલોના તેણે ઉત્તર આપ્યા. ફરીથી તેને પૂછવામાં આવ્યું :–

“તેં કેટલી કેળવણી લીધી છે ?”

“હું જે શીખી છું તે મારી માતા પાસેથી અને ધર્મપુસ્તકોમાંથી શીખી છું.”

આવા નિરર્થક પ્રશ્નોએ ઘણો વખત લીધો. જોન સિવાય સઘળા થાકી ગયા હતા. કોર્ટે ઉઠવાનું કર્યું. કોશને કોર્ટને બરખાસ્ત કરતાં જોનને કહ્યું :–

“તુ નાસી જઇશ નહિ; નહિ તો ગુન્હેગાર ઠરીશ.”

“હું બંધાતી નથી. મેં એવું વચન નથી આપ્યું.”

ત્યારપછી જોને સાંકળના ભાર માટે ફરિયાદ કરી, અને