પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ને અનુચિત કાર્ચ શામાટે કર્યું ?”

જોનનો જુસ્સો હવે ઉછળી આવ્યો.

“શત્રુઓને પંદરમું રત્ન દેખાડવા !”

આ શબ્દ બોલતી વખતે તે યમને દેખતી હતી; આ શબ્દોનું પરિણામ તે જાણતી હતી, પણ સત્ય બોલવા માં ભય શાનો ?

જોનનાં સગાંસંબંધીઓને ઉચ્ચ હોદ્દાઓ બક્ષવામાં આવ્યા હતા; તેથી એમ ઠરાવવામાં આવ્યું કે, તે જે જે કામ કરતી હતી, તે સ્વાર્થ માટેજ કરતી હતી.

“મેં તત્સંબંધી રાજાને કંઈ પણ કહ્યું નથી. રાજાએ જે કર્યું છે, તે પેાતાની રાજી-ખુશીથીજ કર્યું છે.”

આમ ત્રીજી તપાસ પૂરી થઈ, અને તેનું પરિણામ પણ કંઈ આવ્યું નહિ.

ચોથી તપાસ જલદી શરૂ થવી જોઈએ. આ છાસઠ આરોપોમાંથી કેટલાક કાઢી નાખવામાં આવ્યા; અને કેટલાકને ટુંકા કરી નાખવામાં આવ્યા. આમ બાર આરોપોનું એક નવું પત્રક તૈયાર કરવામાં આવ્યું. આ પત્રક તૈયાર થતાં ઘણા દિવસ ગયા, જોન વિરુદ્ધની સધળી બાબતો આમાં એકઠી કરવામાં આવી હતી જાણે જોનની એકે પણ વાત સાચી જ ન હોય !

ખરેખર, આ દયાજનક હતું.

(૯)

બે અઠવાડીઆં સહેજે વહી ગયાં. મે મહિનાની બીજી તારીખ આવી. ઠંડી નાસી ગઈ. પર્વતો અને ખીણોમાં ફૂલ ઉગી નીકળ્યાં. પંખીઓ ઝીણા ઝીણા તડકામાં અહીંથી તહીં કલ્લો કરતાં રમતાં હતાં; સર્વ પ્રાણીઓને વિશ્રામ હતો. દુનિયા આનંદિત જણાતી. નદીઓ વાંકી ચૂકી ખૂલતી ઝૂલતી ચાલી રહી હતી. હરિયાળી પણ ખૂબ ખીલી હતી; નદીતટનાં વૃક્ષોનું પ્રતિબિંબ સ્વચ્છ જળમાં પડી રહ્યું હતું.

સૌ આનંદમાં હતાં, પણ જોન અને તેના મિત્રોનાં મન ઉદ્વેગમાં હતાં.

કોશનને હવે નવી યુક્તિ સૂઝી. પોતાની મુરાદ પાર પડે તેને માટે તે જોનને બહુ બહુ સમજાવવા લાગ્યો.

મેની બીજી તારીખે ઉપર વર્ણવેલા સુંદર દિવસે કોશન અને તેના બાસઠ અનુચરો ભેગા થયા. આ સિવાય એક વક્તા પણ આવ્યો હતો.