પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૪
પરિશિષ્ઠ

જોનના નિર્બળ અંગમાં ધ્રુજારી છૂટી. બધું સ્તબ્ધ હતું.

થોડી વાર પછી જોને ધીમેથી કહ્યું:–

“મારૂં મોત ક્યારે છે ?”

“હમણાંજ.”

ફરીથી જોનનાં રૂંવાડાં ઉભાં થયાં.

“અહા ! એટલું વહેલું મારું મોત છે ? !”

લાંબો વખત શાંતિ પ્રસરી. ઘંટ દૂરથી ફરી સંભળાયો. અમે ત્યાં ધ્યાન આપતાં બેઠાં હતાં. છેવટે જોને શાંતિ ભાંગીઃ–

“કેવી રીતે મારૂં મોત થવાનું છે ?”

“અગ્નિથી.”

ચિત્તભ્રમની માફક તે એકદમ ઉભી થઈ, માથાના વાળ ખેંચવા લાગી અને ખેંચતાં ખેંચતાં રડવા લાગી. અરે ! કેવો દયાજનક તેનો સ્વર હતો ! અમારાં મોં સામે તે વારે ઘડીએ જોયા કરતી હતી–જાણે અમે તેને કંઇક આશ્વાસન આપીએ. રણસંગ્રામમાં પણ તે દયા દર્શાવ્યા વિના રહી નહોતી. હવે તે બીજા તરફથી દયા ઈચ્છતી હતી. રોતી રોતી તે બોલી:–

“હા ! હા ! તેની મને આગળથીજ ખબર હતી. અરે ! મારી સાથે આવું ક્રૂર વર્તન ! કેટલું ઘાતકીપણું ! મારું આ શરીર બળીને ખાક થશે ? મારું માથું સાત વાર કાપી નાખ્યું હોત, તો પણ તે આવા ક્રૂર મૃત્યુ કરતાં બહેતર હતું. મને અપાયેલાં બધાં વચનનો ભંગ કરવામાં આવ્યો છે. મને અન્યાય થયો છે. ન્યાય ચૂકવવા હું પ્રભુને વીનવું છું ! પ્રભુ ! પ્રભુ !” અમે આ શબ્દો સાંભળી ન શક્યા. કારણ કે અમારા કાનો જડ બની ગયા હતા. અમારી આંખો આંસુથી ભરપૂર હતી. અમે અમારાં મોં ફેરવી ગયા. હું ઉભો થયો. તેણે મને ઓળખ્યો. હું ઉભો થયો તેનું પરિણામ શું આવશે, તે તેણે જાણી લીધું; તે કોઈ ન સાંભળે તેમ મારા કાનમાં બોલી: “ઉછાંછળો થઈ તારા જીવને તું જોખમમાં નાખ નહિ. પરમેશ્વર તને સુખી રાખે !” તેણે આમ કહી મારા હાથને પોતાનો હાથ અડાડ્યો. જોન સૌથી છેલ્લે કોઈને અડકી હોય, તો તે મનેજ અડકી હતી. કોઈએ આ જોયું નહિ. ઈતિહાસ આ વાત જાણતો નથી; પણ હું તમને જે કહું છું, તે સાચુંજ છે.

એટલામાં દૂરથી કોશન આવતો દેખાયો. જોને તેની પાસે જઈ કહ્યું:–