પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
સાધ્વી ઇલિઝાબેથ

કોઈ સમજી શકશે નહિ; અને બીજા કોઈની પાસેથી તેને સ્નેહ મળવાની આશા પણ નથી.”

રાજા લૂઈનાં સંતાનો પિતાની સન્મુખજ ઉભાં હતાં. એ બધાં છેકજ નાનાં હતાં. લૂઈ ફરી ફરીને તેમની સામે જોવા લાગ્યો, તેમની પાસે પણ વિદાય માગી. ઇલિઝાબેથ રાજમહેલમાં રહી શક્યાં નહિ. એ રાજ્યની સીમા સુધી સ્વામીની સાથે ગયાં. છેવટે વિદાચની આખરની પળ આવી પહોંચી. રાજા લૂઇએ કહ્યું :–

“ઇલિઝાબેથ ! ઈશ્વર તારું રક્ષણ કરો ! એ તને સહાય થાઓ ! એ તને ધૈર્ય અને સાહસ આપો ! આપણાં સંતાનોને પણ એ આશીર્વાદ આપે. વિદાયમાં એજ માગું છું કે, આપણા પવિત્ર પ્રભુપ્રેમની યત્નપૂર્વક રક્ષા કરજે. તારી પ્રાર્થનાઓને સમયે મને વિસરીશ નહિ; લે, ત્યારે હું વિદાય માગુ છું.”

રાજા લૂઈ ચાલ્યા ગયા, પરંતુ ઇલિઝાબેથમાં ચાલવાની શક્તિ ક્યાંથી હોય ? એ તો પથ્થરની મૂર્તિની પેઠે સ્થિરભાવે ઉભાં રહ્યાં. જ્યાં સુધી એમની દૃષ્ટિ પહોંચી ત્યાંસુધી તાકી તાકીને સ્વામીને જોવા લાગ્યાં. છેવટે સ્વામી ઘણે દૂર ચાલ્યા ગયા, દૃષ્ટિમર્યાદા પણ ઓળંગી ગયા; ત્યારે ઇલિઝાબેથ રાજમહેલમાં પાછાં ફર્યા. સાધ્વી નારીએ પોતાના મહેલમાં જતાંવારજ શરીર ઉપરનાં એકેએક આભૂષણો ઉતારીને મૂકી દીધાં. વિધવાના જેવા સામાન્ય પોશાકથીજ તેમનું અંગ ઢંકાયું. એ દિવસ પછી એમણે ઝગમગાટવાળો પોશાક તથા રત્નભૂષણ અંગ ઉપર કદી પણ ધારણ કર્યાં નહિ.

રાજા લૂઇ વહાણમાં બેઠા. કોણ જાણે ક્યાંથી એમના શરીરમાં વિષે પ્રવેશ કર્યો. થોડાક દિવસમાં તાવ આવ્યાથી એ પથારીવશ થયા. એ સમજી શક્યા કે, મારો અંતકાળ પાસે આવ્યો છે. એટલા માટે એમણે પત્ની અને સંતાનોને માટે એક વસિયતનામું તૈયાર કરીને, પોતાની જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં અર્પણ કરી. મૃત્યુપૂર્વે એમનું મુખ ધાર્મિક વિશ્વાસના પ્રકાશથી ઝળકી ઉઠ્યું. એ બોલ્યા :–

“જુઓ, જુઓ ! શ્વેત કપોતપક્ષીઓ મારી ચારે તરફ ઉડી રહ્યાં છે. મારો આત્મા પણ એમની સાથે સાથે જ ઉડી જશે. એ તો મારે માટે જ રાહ જોઇ રહ્યાં છે.”

મુખમાંનાં વાક્યો સમાપ્ત થતાંની સાથેજ એમનું જીવન સમાપ્ત થઈ ગયું. રાજા લૂઈએ ઈ. સ. ૧૨૨૭ની તા. ૧૧મી