પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.


મુરખે કહ્યું: “ત્યારે શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?”

જે ધારણે મુરખરાજે વહેવાર રાખ્યો તેમાં પઇસાની લેવડદેવડનો અવકાશ રહ્યો નહીં. તેથી સસરાના વખતના ચોવટીઆ અમલદારો આવીને કહેવા લાગ્યા: “નામદાર, નોકરોના પગાર આપવાને સારુ ખજાનામાં પઇસા નથી.”

મુરખરાજે જવાબ આપ્યો: “ત્યારે તેઓને પગાર નહીં આપવા.”

એક અમલદાર બોલી ઉઠ્યો: આ પ્રમાણે તો કોઈ નોકરી નહીં કરે.

મુરખરાજ બોલ્યો: “ભલે. આપણને તેઓની નોકરીનું કામ નથી, તેઓ જમીન ખેડશે તો બસ થશે અને તેટલુંએ નહીં કરે તો ભુખે મરશે.”

વળી લોકો મુરખરાજની પાસે ન્યાય કરાવવા આવતા ત્યારે તેના ન્યાયનું ધોરણ વિચિત્ર લાગતું.

એક વેળા એક શેઠીયો પોતાના ઘરમાં થએલી ચોરીની રાવ લાવ્યો.

મુરખરાજે ઈનસાફ આપ્યો: “જે માણસ પઇસા ચોરી ગયો તેને તેની જરૂર હશે, એટલે ફરીયાદીએ શાંતિ રાખવી ઘટે છે.”

આમ થવાથી લોકોમાં મુરખરાજ નામ પ્રમાણે ગુણવાળો ગણાવા લાગ્યો. એક વેળા તેની રાણીએ તેને કહ્યું: “તમને તો બધા તમારા નામ પ્રમાણે ગુણ છે એમ માને છે.”

મુરખરાજે જવાબ આપ્યો “એ તો ભલી વાત થઇ.”

રાણી કાંઇક વિચારમાં પડી ખરી. પણ તે મુર્ખાના જેવી સાદી ને ભલી હતી. એટલે મુર્ખાના જવાબથી નારાજ ન થઈ. મનમાં તેણીએ વિયાર્યું “શું હું મારા ધણીની સામે થાઉં ? એ તો બનેજ કેમ ? જેમ સોય ચાલે તેમ દોરી તો તેની પાછળ ચાલશેજ.” તેથી તેણી મોંઘીની પાસે ખેતરનું કામ શીખવા લાગી, તે કામમાં પાવરધી થઈ, અને પોતાના ધણીને કામમાં મદદ કરવા લાગી.