પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

આવી પહોંચ્યો. ને બોલ્યો “ભાઇ ! મને તું મદદ કર, મારુ તો બધુ હું હારી છુટ્યો છું, અને જીવ લઈને નાઠો છું.

ધનવંતરી પોતે દુઃખ દરીયામાં ડુબેલો એ શું મદદ કરે ! “મને તો ખાવાનાએ સાંસા છે. બે દીવસનો ભુખ્યો છું. મારા પૈસા ગળે પથરા જેવા થઇ પડ્યા છે. માગ્યા મુલ દેતાં કોઇ મારૂં કામ કરવા પણ આવતું નથી. તું તારૂં દુઃખ રડીશ, કે હું મારૂં તારી પાસે રહું ?” એમ બોલી ઊંડો નીસાસો નાંખી ધનવંતરી મુંગો રહ્યો.


પ્રકરણ ૧૧ મું.


આમ બે ભાઇને પાયમાલ કરી સેતાન મુરખરાજની પુંઠે પડ્યો. પેાતે સેનાપતિ બન્યો ને મુરખરાજની પાસે આવી કહ્યું “મહારાજ આપની પાસે લશ્કર હોવું જોઇએ.

આપ બાદશાહ ગણાઓ, અને લશ્કર ન હોય એ શોભીતી વાત નથી. આપ મને હુકમ કરો કે તુરત હું માણસો એકઠાં કરીને તેઓને શીખવી સિપાઇ બનાવીશ.

મુરખરાજે સાંભળ્યું. અને બોલ્યો: “ ભલે,એક લશ્કર બનાવો, તેઓને ગાતાં શીખવવું. કારણ કે મને ગાવું પસંદ છે.”

સેતાન ગામમાં ફરી વળ્યો. બધાને સિપાહીગીરી લેવાનું સમજાવ્યું, અને લાલચો આપી. માણસો હસી પડ્યા, લાલચોની કાંઈ અસર ન થઈ. અને બધાએ ના પાડી.

શેતાન મુરખા પાસે ગયો અને બોલ્યો: “આપની રૈયત પોતાની મેળે લશ્કરી કામ શીખે એવું લાગતું નથી. તેને તો ફરજ પાડવી પડશે.”

મુરખ બોલ્યો: “ભલે એમ અજમાવી જો.”

એટલે સેતાને ડાંડી પીટાવી કે જે કોઈ માણસ વગર કારણે લશ્કરી ખાતામાં દાખલ નહી થાય તેને ફાંસી દેવામાં આવશે.”