પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
માહાત્માજીની વાતો.


લોકો આ સાંભળીને સેતાનની પાસે આવ્યા, અને બોલ્યા: “તમે એમ ડાંડી પીટાવી છે કે, જો અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઇએ તો, અમને ફાંસી મળશે પણ અમે દાખલ થઇએ તો અમારે શું કરવું પડશે, અને અમારું શું થશે? એ તે તમે જણાવ્યું નથી. કોઇ તો એમ કહે છે કે સિપાઇઓને વગર કામનું મરવુ પણ પડે છે.”

સેતાને જવાબ દીધો: “એમ પણ કોઇ વેળા બને.”

આવું સાંભળીને લોકે હઠ પકડી અને લશ્કરમાં દાખલ થવાની ના પાડી. તેઓ બોલી ઉઠ્યા: ગમે તે પ્રકારે અમારે મરવું તો છેજ. ત્યારે ભલે અમે ઘેર બેઠાં ફાંસીએ ચઢીએ.”

સેતાન ખીજાઇને બોલ્યો: “તમે બધા બેવકુફ છો. લડાઇમાં તો મરીએ પણ ને મારીએ પણ. જો તમે દાખલ નહીં થાઓ તો તો તમારૂં મોત ખચીત જ છે.”

આથી લોકો જરા મુંઝાયા, અને મુરખરાજની પાસે ગયા અને કહેવા લાગ્યા. “આપનો સેનાપતિ કહે છે કે અમે લશકરી ખાતામાં દાખલ નહીં થઇએ તો આપ અમને બધાને ફાંસી દેશો, શું આ વાત ખરી છે?”

મુરખો હસીને બોલ્યો: હું એકલો તમને બધાને કઇ રીતિએ ફ્રાંસીએ ચડાવું ? હું તા મુરખો કહેવાઉં, એટલે તમને આ બધુ સમજાવી શકતો નથી. પણ સેનાપતિનું બોલવું હું પેાતે નથી સમજતો.”

બધા બોલી ઉઠ્યા: ત્યારે અમે કદી દાખલ થઈશું નહી.

મુરખો બોલ્યો: “એ બહુ ઠીક વાત છે. ન થજો. એટલે લોકોએ સેનાપતિને ચેાખ્ખી ના પાડી.

સેતાને જોયું કે તેના દાવમાં ન ફાવ્યો તેથી તે મુરખરાજને છોડી પાસેના રાજા આગળ ગયો અને નીચે પ્રમાણે બોલ્યો: મહારાજાધિરાજ મુરખરાજનો દેશ મેં જોયો છે. તેના માણસો બધા નમાલા છે. તેમની પાસે પૈસો નથી, પણ દાણા, ઢોર વિગેરે ખુબ છે, આપ જો લડાઇ કરો તો એ બધું લુંટી લેવાય.