પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
માહાત્માજીની વાતો.


મુરખ વધારે વિચારમાં પડ્યો તે બોલ્યો “ત્યારે તો, ભાઇ અમને જરૂર શીખવ, અમારા હાથ પગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયાગ કરીશું.”

સેતાને શીખવાનું વચન આપ્યું, મુરખરાજે લોકોમાં જાણ કરી કે એક ગૃહસ્થે લોકોને મગજવતી કામ કરતાં શીખવશે, જ્યારે તેઓના હાથ પગ ભાંગે ત્યારે મગજ વાપરવું ને મગજથી વધારે કામ થાય છે એમ તે ગૃહસ્થ કહે છે.

મુરખરાજના ગામમાં એક ઉંચો મીનારો હતો. તેને ઉંચી ને સીધી સીડી હતી. તે મીનારા ઉપર સેતાનને મુરખે મોક્લ્યો કે જેથી બધા લોક તેને જોઈ શકે ને સાંભળી શકે.

સેતાન અગાસીએ ચઢ્યો. લોકો તેને જોવા ને સાંભળવા આવ્યા. લોકોના મનમાં તો એમ હતું કે હાથને બદલે મગજ કેમ વાપરવું તે કંઇક કળા કરી સેતાન શીખવશે. તેને બદલે સેતાને તો ભાષણ શરૂ કર્યું. ને લોકો અંગ મહેનત કર્યા વગર કેમ નભી શકે એ બોલવા લાગ્યો. લોકો તો આ બધું ન સમજ્યા. થાકીને પોતપોતાને કામે ચઢ્યા.

સેતાન તો બરાડા પાડ્યા જ કરે. આવતા જતા લોકો સાંભળે ઉંચે જુવે ને ન સમજે એટલે ચાલતા થાય. અગાશી ઉપર ખાવાનું હતું નહીં. સહુના મનમાં હતું કે મગજથી કામ કરી સેતાન પોતાના ખાવાનો બંદોબસ્ત કરતો હશે એટલે કોઈને ખાવાનું પહોંચાડવાનું ન સુજ્યું.

મુરખરાજે પુછાવ્યું: “કેમ પેલા ગૃહસ્થે મગજવતી કામ કરતાં શીખવ્યું કે ?”

લોકો બોલ્યા “ના જી, તે તો હજુ બોલ બોલ કર્યા કરે છે.”

બોલતો બોલતો સેતાન થાક્યો. ભુખથી નબળો પડ્યો. તે લથડ્યો ને અગાસીની દીવાલ સામે તેનું માથું પછાડ્યું. આથી લોકોને લાગ્યું કે ગૃહસ્થે મગજથી કામ કરવાનું શરૂ કર્યું. મુરખરાજને