પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

ખબર મળી કે ગૃહસ્થ હવે મગજવતી કામ કરવાનું બતાવવા લાગ્યો છે.

આ સાંભળી મુરખ મીનારા પાસે આવ્યો, મુરખ પહોંચ્યો ત્યારે તો સેતાન તદ્દ‌ન લેવાઇ રહ્યો હતો તેથી તેનું માથું પછ્ડાયા જ કરતું હતું. તે ઉતરવા ગયો પણ પગમાં જોર નહીં તેથી તે પગથીએ પગથીએ માથું પછાડતો નીચે પડ્યો.

મુરખ બોલ્યો: “ગૃહસ્થ કહેતો હતો એ વાત તો ખરી. તે કહેતો હતો કે કેટલીકવાર મગજવતી કામ કરતાં તે ચીરાઈ જાય છે, આ તો હાથમાં આંટણ પડે તના કરતાં પણ ખરાબ કહેવાય. આવી રીતે કામ કરતાં તો માથા ઉપર મોટાં ઢીમડાં ઉઠશે.”

મુરખ તેની પાસે જઇ તેણે કર્યું તે તપાસવા જતો હતો. પણ સેતાન જેવો નીચે પડ્યો. કે તુરત ધરતીમાં સમાઇ ગયો ને માત્ર તે જગ્યાએ ખાડો જોવામાં આવ્યો.

મુરખરાજ હવે સમજ્યો કે સેતાન પડ્યો તે કંઇ કામ કરતા નહીં, પણ તમરી ખાવાથી પછડાયો. તે બોલ્યો: “આ તો પેલા ગુલામ આવેલા તેનો બાપ જણાય છે.”

આમ સેતાનનું મુરખાની પાસે બળ ન ચાલ્યું. મુરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઇ તેને શરણે આવ્યા. તેઓ મુરખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ તેની સાદાઇ પકડી, ને સહુ નીતિ ધર્મ સાચવી, સત્યનું સેવન કરી અંગ મહેનત કરી સુખેથી કાળ ગુજાવા લાગ્યા.

સમાપ્ત.