પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
સત્યવાન અને શિવદયાળની વાત

માણસો મારીશ. હું તને પણ આજે તે મારી નાખત. પણ જવા દઉં છું. મારી આડે બીજીવાર આવીશ માં.”

લુંટારો તો આમ ધમકાવીને ચાલ્યો ગયો. તે પાછો આવ્યો નહીં. એમ કરતાં શિવદયાળનાં આઠ વરસ સુખ શાંતિમાં પસાર થઈ ગયાં.


પ્રકરણ ૯ મું.


એક દિવસ જમીનમાં વાવેલાં ઠુંઠાંને નિત્ય નિયમ પ્રમાણે પાણી પાઈ આવીને શિવદયાળ પોતાના ભોંયરામાં પાછો ગયો, અને બેઠો બેઠો બહારથી માણસો તેને સારૂં ખાવાનું લઈ આવે એની રાહ જોવા લાગ્યો. ત્રણ આખા દિવસમાં એક જીવ ફરક્યો નહીં. સાંજ સુધી રાહ જોયા પછી જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તે મનથી બહુજ દુઃખી થયો. એમ કરતાં પોતાની સ્થિતિનો વિચાર કરતાં તેને ચોરની વાત યાદ આવી. ચોર ચોરી કરીને પેટ ભરે છે ને હું પવિત્રતાનો વેશ ધારી પેટ ભરૂં છું. મારી જીંદગીમાં હું શું આગળ વધ્યો? સાધુએ તો મને તપ કરવા કહેલ, પણ મારૂં તપ તો પેટ ભરવા સારૂ છે. વળી લોકોનાં વખાણ સાંભળવાનું મને ગમે છે અને વળી લોભ તો એવો લાગ્યો છે કે માણસો મારી પાસે નથી આવતા તો હું દુઃખી થઇ જાઉં છું. જ્યારે તે આવે છે ત્યારે હું રાજી થાઉં છું, કારણ કે તેઓ મારી સ્તુતિ કરે છે. એવું જીવન સાધુતાની નિશાની નથી. માનના લોભથી હું આડે રસ્તે નીકળી ગયો. મારાં પુરાણાં પાપનો પશ્ચાતાપ તો હજુ નથી કર્યો, પણ આ તો સામાં બીજા ધારે પાપ કરૂં છું.

ઉપર પ્રમાણે વિચાર કરી શિવદયાળે તે ભોંયરું છોડ્યું. માણસો ન દેખે એવે ઠેકાણે ગુફામાં તે જઇ ત્યાં વળી એક દિવસે તેને આગળ મળેલો ચોર મળ્યો, તેને જોઇ શિવદયાળે ભાગવા માંડ્યું પણ ચોરે તેને પકડી લીધો, ચોરે પુછ્યું “ક્યાં ભાગો છો? ભાઇ સાહેબ !” શિવદયાળે જવાબ દીધો કે “લોકો મને ન દેખી શકે એવે સ્થળે જાઉં છું.” ચોર આ સાંભળી બહુજ નવાઇ પામ્યો.