પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
માહાત્માજીની વાતો.


“તમો આ રસ્તા ઉપર ક્યાંથી આવી ચઢ્યા ? હું તે કહી શકતો નથી.” દેવદુત બોલ્યો. સ્ત્રી કહે “શું આપને કોઇએ લુંટી લીધા છે? ” દેવદુત બોલ્યો “પરમાત્માએ મને શીક્ષા કરી છે.”

સ્ત્રી કહે–શું આપ ત્યાં આગળ નગ્નાવસ્થામાં બેભાન સ્થિતિમાં પડ્યા હતા ? દેવદુત કહે– “હા, હું તદ્દન નગનાવસ્થામાંજ હતો, અને અત્યંત થંડીથી અકડાઈ ગયો હતો. તમારા ઉદાર અને પરોપકારી ધણીએ મારા ઉપર દયા કરી અને પોતાનો કોટ મને પહેરાવી અહીં લઈ આવ્યા અને તમે પણ સ્વાદીષ્ટ ભોજન આપી સંતોષ્યો અને મારાપર દયા કરી. પરમ દયાળુ પ્રભુ એનો બદલો તમને અવશ્ય આપશે.

નથુની સ્ત્રીએ પોતાના ધણીનુ જે જુનું પેરણુ સાંધ્યું હતું તે દેવદુતને પહેરવા આપ્યું. અને એક જુની ઇજાર પણ આપી, અને કહ્યું કે આપને માટે હું રસોડામાં પથારી ચુલાની નજદીક કરૂં છું ત્યાં સુઈ જાઓ. રસોડામાં ગરમી હોવાથી આપને રાત્રે ઠંડી લાગશે નહીં.

દેવદુત કપડાં પહેરી રસોડામાં સુઇ ગયો. નથુ અને તેની સ્ત્રી પણ સુઈ ગયાં. નથુની સ્ત્રી સુઇ ગઇ પરંતુ તેને બીલકુલ નિંદ્રા આવી નહીં. દેવદુત વિષેના વિચાર તેના મગજમાંથી બીલકૂલ ખસતા નહતા. હવે તેણીને આવતી કાલની ચિંતા થઈ કારણ કે રોટી બીલકુલ રહી નહતી. વળી પોતાના ધણીની ઇજાર અને પેરણ પણ દેવદુતને તેણે આપી દીધાં, આથી તે નિરાશ થઇ. પરંતુ દેવદુતની દયામણી સ્થિતિ જોઇ દીલમાં લાગણી પણ ઉત્પન્ન થઈ આવતી હતી. આવા વિચારમાં ને વિચારમાં તે મોડી રાત સુધી ઉંઘી નહિ. તેણે પોતાના ધણી નથુને પણ જાગતો જોયો. નથુએ પુછ્યું. “કેમ તું પણ જાગે છે કે ?”

સ્ત્રીએ કહ્યું.“હા. તમો બંને જણાએ બધી રોટી ખલાસ કરી છે. હવે કાલે શું કરીશું તેના વિચારમાં હું પડી છું. હું ધારૂં છું