પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
માહાત્માજીની વાતો.

કહ્યું: “ઘણી સારી વાત. મે કોઇ દિવસ બનાવ્યા નથી; પરંતુ આ મારો માણસ છે એ બનાવી શકશે. માટે એમને આપો.”

નથુ દેવદુતના તરફ જોવા લાગ્યો. દેવદુત પોતાનું કામ એક બાજુએ મુકી બન્ને છોકરીઓ તરફ તાકી તાકીને જોયા કરતો હતો. નથુ આથી આશ્રર્ય પામ્યો. બન્ને છોકરીઓ ઘણીજ સુંદર હતી. છતાં પણ નથુ સમજી શક્યો નહીં કે દેવદુત આટલું બધું તાકી તાકીને છોડીઓને શા માટે જુવે છે? નથુએ તે બન્ને છોકરીઓનાં માપ લીધાં. સ્ત્રી કહ્યુ કે “છોકરીના એક પગ વાંકો છે માટે જોડો બીજાથી ન્હાનો કરવાનો છે. અને ત્રણ સરખાજ કરવાના છે. કારણ કે બન્ને છોકરીના પગ સરખાજ છે. તેઓ જોડે જન્મેલાં બચ્ચાઓ છે.”

નથુએ માપ લીધા બાદ સ્ત્રીને પુછ્યું કે “આ છોકરીનો પગ લુલો શાથી થયો છે? શું જન્મથીજ એવો હતો ?”

તે સ્ત્રીએ કહ્યું: “ ના,એની માથી ભાંગી ગયો હતો.” નથુની સ્ત્રી પણ એ વાતમાં ભળી, અને તેણે પુછ્યું: ત્યારે તમે એમના મા નથી ?”

તે સ્ત્રીએ જવાબ આપ્યો: “ના હું એની મા નથી, તેમજ કંઇ સગી પણ નથી, એ છોકરાઓ મને તદ્દન અજાણ્યાં હતાં. મેં તેમને દત્તક લીધાં છે.”

“ત્યારે તમારા છોકરાં નથી છતાં તમે એને એટલાં બધાં ચાહો છો ?”

હું એમને ચાહ્યા સીવાય કેમ રહું ? મેં મારૂં દુધ પાઇ એમને ઉછેર્યા છે, મારૂં એક પેાતાનું ક્ષ્હોકરું પણ હતું પરંતુ તે ઇશ્વરે પાછું લઈ લીધું.”

“ત્યારે આ છોકરાં ખરી રીતે કોનાં છે?”