પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
માહાત્માજીની વાતો.

ત્રીજું મારૂં છોકરૂં તેને પણ હું ધરાવતી. હું તે વખતે યુવાન અને મજબુત હતી અને સારો ખોરાક લેતી હતી અને પરમાત્માએ મને એટલું બધું દુધ આપ્યું કે ત્રણે છોકરાંને હું ઉછેરી શકી. પરંતુ મારૂં છોકરૂં બે વરસની ઉમરનું થયું એટલે તે ગુજરી ગયું અને ત્યાર પછી ઇશ્વરે મને બીજું છોકરૂં આપ્યું નથી. પાડોશી લેાકોએ પણ પાછળથી વિચાર કરી ઠરાવ્યું કે એ છોકરાંઓને મારેજ રાખવાં, હવે એ મારાં છોકરાંઓને ચાહ્યા સીવાય કેવી રીતે રહું? જેવી રીતે મીણબત્તીને જેટલું મીણ છે, તેવી રીતે આ છોકરીઓ મને છે. ત્યાર પછી તેણે લુલી છોકરીને પોતાની પાસે લીધી અને આંખમાંનાં આંસુ લુછી નાંખ્યાં.

આ વાત સાંભળી નથુની સ્ત્રીને તે છોકરાંઓ પ્રત્યે અત્યંત દયા ઉપજી અને તે કેહવા લાગી “બેન, એક કહેવત છે તે ખોટી નથી, કે માબાપ સિવાય બીજા પણ ચાહી શકે છે, પરંતુ જિવાડવું એ તો ઇશ્વરનાજ હાથમાં છે. આ રીતે જ્યારે વાત તેઓ કરતા હતા ત્યારે એકાએક જાણે દેવદુત બેઠો છે તે ખુણામાંથી આવતા પ્રકાશથી ઓરડો પ્રકાશમાન થઈ ગયો. આ બધાં દેવદુત તરફ જોવા લાગ્યાં. આ દેવદુત પોતાના બે હાથ જોડી ઊંચુ જોઇ હસ્યા કરતો હતો.


પ્રકરણ ૧૦ મું


તે સ્ત્રી છોકરાંઓને સાથે લઇ ચાલી ગઇ. દેવદુત પોતાના બાંકડા ઉપરથી ઉભો થયો, પોતાનું કામ એક બાજુએ છોડી દીધું. નથુ અને તેની સ્ત્રીને તેણે વાંકા વળી નમન કીધું અને બોલ્યો: “હવે આપની પાસેથી રજા માગું છું. ઇશ્વરે મને હવે માફી આપી છે. મેં કઈપણ ખોટુ કર્યું હોય તો આપ પણ મને માફી આપશો?” અને તેઓ બન્નેએ જોયું કે દેવદુતના શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો. નથુ તુરતજ ઉભો થયો, દેવદુતને નમન કર્યું અને બોલ્યો: