પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
માહાત્માજીની વાતો.

વખતે ઈશ્વરે મને એક સ્ત્રીનો આત્મા લઇ આવવાની આજ્ઞા કરી. હું પૃથ્વી ઉપર ગયો, અને તે સ્ત્રી પાસે ગયો તે એકલી અને માંદી હતી. તેણીએ તરતજ બે નાની છોકરીઓને જન્મ આપ્યો હતો. અને છોકરીઓ અત્યંત દયામણી રીતે રોતી હતી, માતા એટલી બધી નબળી હતી કે તેણી બચ્ચાંઓને લઇ ધવડાવી શકતી નહોતી, તે સ્ત્રીએ મને જોયો અને તરતજ સમજી ગઈ કે ઈશ્વરે મને તેનો પ્રાણ લેવા મોક્લ્યો છે, જેથી તે અત્યંત રોઇ અને કહેવા લાગી ‘ઇશ્વરના ફીરેસ્તા મારો ધણી એક બે દિવસ ઉપરજ ગુજરી ગયો છે. જંગલમાં એક ઝાડ તેના ઉપર પડ્યું અને તરતજ તેમના પ્રાણ ગયા, મારે મા નથી માસી નથી કે બેન નથી, કે જે આ છોકરાંની સંભાળ લે, માટે મારો આત્મા તું ન લે, મારાં છોકરાંને ઉછેરી મોટાં કરવા દે, અને આ સંસારમાં તે પોતાની જીંદગી શરૂ કરી દે એવી સ્થિતિમાં આવવા દે. આ ગરીબ છોકરાંઓ માબાપ સિવાય કેવી રીતે જીવી શકશે?’ તે સ્ત્રીએ એક છોકરીને તેની છાતી ઉપર મુકાવી અને બીજીને બીજા હાથમાં આપી, અને હું સ્વર્ગ તરફ પાછો કર્યો. ઇશ્વરની પાસે જઇ મેં કહ્યું કે તે સ્ત્રીનો પ્રાણ લઇ આવી શક્યો નથી. તેનો ધણી જંગલમાં એકાએક ગુજરી ગયો. તે તેણીને બે જોડે જન્મેલાં બચ્ચાં છે, અને તેનો આત્મા હાલમાં ન લેવા એમ વીનંતી કરે છે. તેણીએ કર્યું કે મને છોકરાંને ઉછેરી મોટાં કરવા દે. માબાપ સિવાય તે કેવી રીતે જીવી શકે ? આ જોઇ મારાથી તેના પ્રાણને લઇ શકાયો નહીં’ ઈશ્વરે કહ્યું ‘તું તરત પાછો ચાલ્યો જા. અને તે સ્ત્રીનો પ્રાણ લઇ આવ. અને તું ત્રણ શબ્દ શીખીશ. (૧) મનુષ્યમાં શું સમાએલું છે (ર) મનુષ્યને શુ બક્ષવામાં આવ્યું નથી. (૩) અને મનુષ્યો શાથી જીવી શકે છે. જ્યારે તું આ શબ્દો શીખી રહે ત્યાર બાદ તું સ્વર્ગમાં આવજે,’ હું પૃથ્વીપર તરતજ ચાલ્યો આવ્યો! અને તે સ્ત્રીના પ્રાણ લીધા. બચ્ચાંઓ માની છાતીએથી છુટાં પડ્યાં. હું તે સ્ત્રીના આત્મને મારી સાથે લઈ ઈશ્વર પાસે જવા ઉંછો ચઢ્યો. પરંતુ