પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

ધનવંતરી બોલ્યો: “મુર્ખો તો ખરેખર મુર્ખોજ છે, તે તો પરણવાનોએ નથી. તેને કોણ છોકરી આપશે? અને માંઘીને તો ખાવું પીવુ મળ્યું એટલે વાહ વાહ.” પછી પેાતાના ભાઈ તરફ જોઈને ધનવંતરી બોલ્યો: “મુર્ખા, મને દાણામાંથી અરધોઅરધ નહીં આપે? હળ વીગેરે હું માંગતો નથી, અને જાનવરોમાંથી માત્ર પેલો કાબરો ઘોડો આપે એટલે થયું. તેને તું હળમાં તો નાંખી શકે એમ નથી.”

મુર્ખાએ હસીને જવાબ દીધો: “ભલે ભાઇ, તું એમ રાજી થતો હોય, તો લઇ જા, હું વળી તેના બદલામાં વધારે મહેનત લઇશ.”

આમ ધનવંતરી પણ ભાગ લઇ ગયો. મુરખરાજ ખેતરમાં પુષ્કળ કામ કરતો, બહેરી બહેન બને એટલી મદદ કરતી, બાપ અને મા તો ઘરડાં થયાં હતાં, એટલે ખરૂં જોતા ધનવંતરી અને સમશેરબહાદુરને આપવા જેટલું ઘરમાં રહેલું નહોતુ. હવે મુરખરાજની પાસે તો એક ઘરડી ઘોડી રહી. તેની પાસેથી લેવાય એટલું કામ લઈને આખો દહાડો ખેતરમાં મચ્યો રહેતો અને જેમ તેમ કરી માબાપનું, બહેનનું અને પોતાનું ભરણપોષણ કરતો.


પ્રકરણ ૨ જું.


ભાગ પડ્યા અને ભાઇઓ ન લડ્યા એ સેતાનને બહુ વસમું લાગ્યું. તેણે તેના ત્રણ ગુલામોને બોલાવ્યા અને બોલ્યો : “પેલા ગામમાં મુર્ખો ને તેના બે ભાઇઓ વસે છે, દુનિઆના સાધારણ રીવાજ પ્રમાણે તો તેઓએ ભાગલા પાડતાં લડવું જોઈતુ હતું. તેને બદલે તેઓ સંપીને રહે છે. આનું કારણ પેલા મુર્ખાની મુર્ખાઇ સિવાય બીજું કાંઈ નથી. તેણે આપણું કામ બગાડ્યું છે. હવે તમે ત્રણ જણા એ ત્રણ ભાઈઓની પાસે જાવ, અને તેને એક બીજાને એવા ચડાવજો કે તેઓની વચ્ચે લાહીની નદી ચાલે ત્યાં લગી લડે. બોલો, આ કામ તમારાથી બનશે કે નહીં?”