પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
માહાત્માજીની વાતો.

“ઘાસમાં તે બારીમાં તો મુર્ખાને ન પહોંછ્યો હવે જોઉં છું આમાં શું થાય છે.”

બીજી સવારે મુર્ખો તો તો બહુજ વહેલો ઉઠ્યો હતો અને અરધ પુંછડીયો પહોંચે તેના પહેલાં મુર્ખે પોતાનું કામ પુરૂ કર્યું હતું. અરધ પુંછડીયો ગભરાયો અને ખીજાયો. તે બોલી ઉઠ્યો “મુર્ખાએ તો મને બધે હરાવ્યો અને થકવ્યો. આતો ખરેખરો મુર્ખો જ. મુર્ખાને તે કંઇ શીગડાં હોય, બેવકૂફ પુરૂં સુતો પણ નથી. એને તે કેમ પહોંચી વળાય ? હવે તો હું દાણાના ઢગલામાં પેસી જાઉં અને બધા સડવી દઉં.”

આમ વિચારી અરધ પુંછડીયો દાણાના ઢગમાં પેઠો, દાણા સડવા લાગ્યા. તે દાણાને તેણે ગરમ કર્યા તેથી પોતાને પણ ગરમી છુટી તેથી તેમાંજ ઉંઘી ગયો.

મુર્ખો મોંઘીની સાથે ગાડી જોડીને ચાલ્યો. દાણા ગાડામાં નાંખવા લાગ્યો. બે ઝપાટા પુરા કર્યા અને ત્રીજી વખત ભરવાને જાય છે તો દાંતયો અધ પુંછડીયાની પીઠમાં ગરી ગયો. ઉંચકે છે તો દાંતલા ઉપર તેણે અરધ પુછડીયાને તરફડતો તે નીકળી પડવાનો પ્રયત્ન કરતો જોયો.

તેને જોઇને મુર્ખો બોલી ઉઠ્યો “અરે અલ્યા ! પાછો તું આવ્યો કે?”

અરધ પુંછડીયો બોલ્યો: “હું તે નહીં પેલો તો મારો ભાઈ હતો, હું તો તારા ભાઇ સમશેરની પૂંઠે હતો.”

મુર્ખો બોલ્યો: “ભલે ભલે, તું ગમે તે હોય તારી પણ એજ વલે થશે.” એમ કહીને મુર્ખો તેને ગાડીની સાથે અફળાવવા જતો હતો તેટલામાં તેણે કહ્યું: “મને તમે જવા દો તો હું ફરીને નહીં આવું અને તમે જે કહો તે કરૂં.”

મુર્ખા પુછ્યું: “તું શું કરી શકે છે.” ગુલામે જવાબ દીધો. “તમે કહો તેમાંથી હું સીપાઇ બનાવી શકું છું.”

મુર્ખો બોલ્યો: “તે મારે શું કામના”