પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
માહાત્માજીની વાતો.

લઇને તમારા હાથમાં ચોળો એટલે તમારા હાથમાંથી સોનાનાં ફુલ ખરશે.

મુરખે પાતરાં લીધાં, હાથમાં ચોળ્યાં અને સોનાનાં ફુલ પડવા લાગ્યાં, મુર્ખો બોલી ઉોઠયો. “આ તો મજેનું કામ થયું, હવે મારાં માણસો પોતાના બચેલા વખતમાં એનાથી રમશે”

ગુલામ બોલ્યો; “હવે મને ૨જા આપો મુરખે રજા આપી અને કહ્યું: “ઇશ્વર તારી સાથે વસજો.” એટલું મુરખો બોલ્યો કે તુરત ગુલામ જમીન તળે પેસી ગયો અને માત્ર એક ખાડોજ રહ્યો.


પ્રકરણ ૬ ઠું.


ભાઇઓએ તો ઘરો બાંધ્યાં, અને નોખા રહેવા લાગ્યા. મુરખાએ લણવાનું કામ પુરૂં કર્યું, અને તેણે એક તહેવારને દિવસે તેના ભાઈઓને નોતર્યા પરંતુ તેઓ ન આવ્યા. તેઓ બોલ્યા: “ખેડુત તહેવાર કેમ રાખે એ આપણે ક્યાં નથી જાણતા ? ત્યાં જઈને શું કરીએ ?”

તેથી મુરખાએ આસપાસના ખેડુતો અને તેની સ્ત્રીઓને બોલાવ્યાં, તેઓને જમાડ્યા પછી મુરખાએ તેઓને સોનાનાં ફુલ આપ્યાં. સોનાનાં ફુલ જોઈને એક પર એક અથડાવા લાગ્યાં અને એક બીચારી બુઢ્ઢી તેમાં કચડાઇ પણ મુઇ તેથી મુર્ખો બોલ્યો: તમો કેટલા બેવકુફ છો, તમરે વધારે જોઈએ તો હું વધારે આપું” અને એમ કહીને તેણે ખુબ ફેંક્યાં. પછી છોકરાઓ ગાવા નાચવા લાગ્યાં. મુરખો બોલ્યો. “તને ગાતા આવડે છે! જુવો હું બતાવું.” એમ કહી તેણે તો ખડમાંથી સીપાઇ બનાવ્યા, અને તેઓ ઢોલ શરણાઇ વગાડવા લાગ્યા આમ થોડીવાર ગમ્મત કરાવને પાછા સીપાઈઓને ખેતરમા લઇ ગયો અને તેનું ખડ બનાવીને ફરીથી ગંજી ખડકી લીધી. પછી થાક્યો પાક્યો ઘેર ગયો અને તબેલામા સુતો.