પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
માહાત્માજીની વાતો.

“તને સોનુ ક્યાંથી મળે છે એ મને તું કહે. જો મારી પાસે ભરપુર સોનું હોય તો હું તેમાંથી આખી દુનીયા ખરીદી લઉ.”

મુરખો તો વળી તાજુબ થયો અને બોલ્યો: “તેં મને પહેલું કહ્યું હોતતો તને હું સોનાના ઢગલા ને ઢગલા આપત. હવે પણ જોઈએ તેટલું માગ.”

ધન્વંતરી આ સાંભળી ગાંડોતુર બની ગયો અને બોલી ઉઠ્યો હાલ તો તું મને ત્રણ ટોપલી ભરીને આપ એટલે બસ છે.” મુરખે કહ્યું “ઠીક છે, ત્યાં ચાલો આપણે ખેતરમાં જઇએ, હું ગાડી પણ જોડુ, કેમકે એટલું સોનું તારાથી કંઇ ઉંયકી શકાશે નહીં.”

પછી તેઓ ખેતર તરફ હાંકી ગયા. ટેકરા ને કેટલાંક પાતરાં ઘસ્યાં અને સોનાનો મોટો ઢગલો થયો. પછી ધન્વંતરી તરફ જોઇ બોલ્યો: “આટલું બસ થશે કે નહી.”

ધનવતરી બોલ્યો: “તે તો બહુ કરી. હાલ તુરતને સારૂ તો એટલું સોનું બહુ થશે. તારો પાડ હું ભુલીશ નહીં.” મુરખે જવાબ દીધો: “મારી પાસે પાતરાં પુષ્કળ છે. વધારે ખપ પડે તો આવજે. એટલે બીજુ સોનું ઘસી કહાડીશ.” ધન્વંતરી ઢગલો લઇ વેપાર ફરવા ચાલ્યો.

આમ એક તરફથી સમશેર લડાઇમાં અને ધનવંતરી વેપારમાં એમ બંને ભાઇ મચ્યા. સમશેરે એક રાજ્ય જીતી લીધું અને ધનવંતરીએ પુષ્કળ દોલત ભેળવી. બન્ને ભાઇ પછી ભેળા થયા અને સમશેરે ધનવંતરીને કહ્યું: “મારી પાસે રાજ્ય તો છે, પણ સીપાઇઓને નીભાવવા જેટલા પૈસા નથી. ત્યારે ધન્વંતરી બોયો: “મારે પૈસાની ખોટ નથી. પણ રખેવાળની ખોટ છે.” આ સાંભળી સમશેર બોલી ઉઠ્યો “ચાલો ત્યારે આપણે પાછા મુરખા પાસે જઈએ” હું વધારે સીપાઇ બનાવવાનું કહીશ અને તું તેને સોનું ઘસી કહાડવાનુ કહેજે. મારા સીપાઈ તું લઇ જજે એટલે તેઓ તારી દોલતની રખેવાળી કરશે. અને હું સોનુ લઈશ એટલે તેમાંથી મારા સીપાઇઓ ખાશે.”