પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

“બેટા તું રાજાને ત્યાં જા, તારી પાસે મુળીયું છે તે તેની છોકરીને આપજે, અને આથી તું સુખી થશે.”

મુર્ખો બોલ્યો: “ઠીક બાપા, હું જાઉં છું.”

મુર્ખોં જવાને તૈયાર થયો. માખાપે તેને શણગાર્યો. જેવો તે બહાર નીકળ્યો તેવોજ તે એક લકવા થએલ હાથવાળી ભીખારી ઓરતને મળ્યો. મુરખાને જોઇ આ ઓરત બોલી: મેં સાંભળ્યુ છે કે તમારી પાસે દરદો મટાડવાની અક્સીર દવા છે. ભાઇ સાહેબ, મારો હાથ મટાડો. હું મારાં કપડાં પણ મારે હાથે પહેરી શકતી નથી.”

મુરખો બોલ્યો: “ઠીક છે.” એમ કહી તેણે મુળીયું ભીખારણને આપ્યું તે ગળી ગઈ. અને તેનો લકવા તુરત દુર થયો. મુરખાને આશીરવાદ આપી તે ચાલતી થઈ. મુરખાનાં માબાપ રાજાને ત્યાં તેની સાથે જતાં હતાં. જ્યારે મુરખે આમ તેનું મુળીયું ભીખારણને આપી દીધું અને તેની પાસે કંઇજ ન રહ્યું એમ જોયું ત્યારે તેઓ દીલગીર અને ગુસ્સે થયાં.

તેઓ બોલ્યાં: ભાઇ, તને ભીખારણની ઉપર દયા આવી. રાજાની દીકરી સારૂ તુ બીલકુલ દીલગીર થતો નથી?” મુરખાને તો તેની પણ દીલગીરી હતી, પણ તેની સામે આવી ઉભેલી ભીખારણને તે કેમ કાઢી મુકે ? મુરખો ગાડી જોડી તેમાં ડુંડાં નાંખી ચાલવા લાગ્યો. બાપે પુછ્યું: “કેમ અલ્યા, ક્યાં જાય છે?”

મુરખે જવાબ આપ્યો: “રાજાની દીકરીની દવા કરવા.”

“પણ તારી પાસે તો દવા કંઇ રહી નથી.” એમ બાપ બોલી ઉઠ્યો.

મુરખે ધીમેથી વિનયપુર્વક જવાબ આપ્યો: “બાપા, તમે ફીકર ન કરો, બધું સારૂં થઈ રહેશે.” પછી તે રાજાને મહેલે ગયો, અને જેવો તે ઉંબરા પાસે પહોંચ્યો કે તરત રાજાની દીકરી સાજી થઈ. રાજા તેથી ખુશી થયો. તેણે આ મુરખાને પોતાની પાસે તેડાવ્યો. અને તેને ભારે પોશાક પહેરાવી રાજા બોલ્યો: “તમે આજથી મારા જમાઇ છો.”