આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
શનિયાનો છોકરો
મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઈ ઊઠ્યો છે.
મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યો છે : કોઈ એની કને આવી શકતું નથી : બદબો અસહ્ય બની ગઈ છે.
"શનિયા !" મહારાજે છોકરાના બાપને કહ્યું : " હીંડ, આને આણંદ દવાખાને લઈ જઈએ."
"હું ચ્યમ કરીને હીંડુ, બાપજી ?"
"ચ્યમ વળી શું ?"
"છોકરાં દાણા વિના મરી જાય. ખેતરમાં કોઈ જનાર નથી."
"તારી વઉ છે ને ?"
"ઘરમાં ખાટલો મૉંદો છે, મહારાજ ?" ('ખાટલો માંદો છે, ' એટલે વહુને સુવાવડા આવેલ છે.)
અર્થ એ થયો કે શનિયો એકલો બીજાં છોકરાંને અને બૈરીને બચાવવા માટે મજૂરી કર્યા કરે; અને છોકરાનું રોગે ગંધાઈ ગયેલ હાડપિંજર ધીરે ધીરે ખતમ થઈ છેલ્લા શ્વાસ છોડી દે, એટલે છુટકરો થાય.
૧૦૯