પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શનિયાનો છોકરો
૧૧૩
 


છોકરાએ હા પાડી.

ગામની બજાર આવી એટલે છોકરો મહારાજ કનેથી દોટ કાઢીને બાપને બાઝી પડ્યો, ને ઘેર ચાલ્યો ગયો.

એને પેટ ભરીને ખાવા-પીવા ને ભણવા કરતાં ગરીબ બાપને ઘેર અન્ન નહોય તે દિવસે 'ડાહ્યો' બની રહેવાનું, ખાવાને કહિયોઇ ન કરવાનું વિશેષે પસંદ પડ્યું હશે.

મહારાજ કહે : "શનિયા, તારો છોકરો તું મને આલી દે ને! હું એની સાર-સંભાળ રાખીશ."

"એવો એ નહિ આવે, દાદા !.... એ કરતાં એને કોઈક પાટીદારને ત્યાં ચાકરીએ રાખી દો ને ! એ રળતો થઈ જશે."

કંગાલિયતની એ કથા મહારાજને પચાવવી પડી.