પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
માણસાઈના દીવા
 


"હેઠ, મારા હાળા નામર્દ !" ડાભલો બહારવટિયો તે વખતે બોલી ઊઠ્યો : "આપણે પારકાંનાં ખૂન કરતા'તા તે દા'ડે શું ન'તી ખબર કે એક દન આપણે ચડવાનું જ છે ! ખબર તો હતી, તે છતાં આજ રડવા બેઠો છે !"

પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો.

એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.[૧]


  1. ખેડા અને ભરૂચ જિલ્લામાં ૧૯૧૮થી '૨૪ સુધી ચાલેલા આ ભયાનક બહારવટાની કથા રવિશંકર મહારાજે કહેલી વાતોમાંથી તારવી છે. કેટલાંક પાત્રો (જીવતાં તેમ જ મૂએલાં)નાં તેમ જ સ્થળોનાં નામ મેં પડતાં મૂક્યાં છે. - લેખક.