સુધી બીજા કોઈની વરધી અપાય નહિ."
બ્રાહ્મણને ઝાલી રાખીને પહેરેગીરે અટકાવ્યા. છેવટે બેઉ અમલદારો બહાર નીકળ્યા, અને બ્રાહ્મણને જડ જેવો ઊભેલો દેખીને ખોટો મિજાજ કરી કહ્યું : "ત્યાં કેમ ઊભા રહ્યા છો ?"
"આ આવવા દે ત્યારે આવું ને !"
"આવવા દે એને." પહેરેગીરને હુકમ થયો.
"શું ભણ્યા છો ?" સૂબા સાહેબે તિરછી આંખે, તિરસ્કારયુક્ત મિજાજ કરી બ્રાહ્મણને પૂછ્યું.
"કશું નહિ." જવાબ મળ્યો.
"આ ઠાકરડાઓને તમે જાણો છો ? તેઓ સૌથી ઉતાર જાત છે, એ તો ખબર છે ને ?"
"ના."
"તો પછી શી રીતે તેમને સુધારવાનું કામ કરી શકશો ?"
"મને ખબર નથી."
"એ લોકો વચ્ચે કામ કરીને તમે તો દારૂ ઊલટો વધારી મૂક્યો છે !"
"તો રાજને ફાયદો થયો હશે ને !"
આવા લાપરવાહ જવાબોથી આશા ગુમાવીને કંટાળેલા સૂબાએ કહી દીધું: "જાવ, બાર વાગે કોરટમાં આવજો."
બપોરે જ્યારે મહારાજ કચેરીએ સાહેબની સમક્ષ હાજર થયા ત્યારે સાહેબે કાગળિયા પરથી માથું ઊંચકીને એને પૂછ્યું : "જરા ઘડિયાળમાં જૂઓ : કેટલા વાગે તમે આવ્યા છો ?"
"સવા વાગે." બ્રાહ્મણે ઘડિયાળમાં જોઇને જવાબ વાળ્યો.
"અને મેં તમને કેટલા વાગે અહીં આવવાનું કહેલું ?"
"શું કરું ! પારકે ઘેર જમવાનું હતું."
"વારુ જાવ; હુકમ મોકલાઈ ગયો છે."
"હુકમ મોકલાઈ ગયો છે" એ શબ્દોમાં પાટણવાડીઆઓની હાજરી