પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
માણસાઈના દીવા
 

ઘરમાં જઈને એણે ઘરવાળીને હર્ષભેર કહ્યું :

"ચા મૂકો ઝટ, ચા !"

એ બંને કેદીઓને પાસે બેસાડીને પોતે ચા પાઈ; પોતે પણ સાથે પીધી. જાણે પોતે કૃતકૃત્ય બની ગયો. પછી બેઉને લૉક–અપમાં લીધા.

"એને મારપીટ ના કરશો." મહારાજે લૉક–અપ સુધી જઈ પાછા વળતાં અમલદાર પાસેથી ખાતરી લીધી; અને કેદીઓને કહ્યું : "હું ધારું છું કે તમને ત્રણ વર્ષથી વધુ ટીપ નહિ પડવા દઉં."