પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

મોલવી સાહેબે આપેલ ઉર્દૂ કિતાબ, ટૉલ્સ્ટોયનાં લખાણ, રસ્કીન તથા સોક્રેટિસનાં લખાણ એવાં પુસ્તકો હતાં. આમાંના ઘણાંખરાં પુસ્તકો જેલમાં મેં વાંચ્યા અથવા ફરી વાંચ્યા. તામીલ અભ્યાસ નિયમસર કરતો હતો. સવારમાં ગીતાજી, ને બપોરે ઘણે ભાગે કુરાન શરીફમાંથી વાંચતો. સાંજે મિ. ફોરટૂનને બાઈબલ શીખવતો. મિ. ફોર્ટ્‌નને પોતે ચિનાઈ ખ્રિસ્તી છે. તેનો અંગ્રેજી ભણવાનો ઇરાદો થયો. તેને બાઇબલ વાટે અંગ્રેજી શીખવતો. બે માસ પૂરી કેદ ભોગવવાનું બન્યું હત તો કાર્લાઇલના એક પુસ્તકનો ને રસ્કીનના પુસ્તકનો તરજુમો પૂરો કરવાની ઉમેદ હતી. માનું છું કે ઉપરનાં પુસ્તકોમાં હું ગિરફતાર રહી શકતો હતો. તેથી મને બે માસ સુધી વધારે જેલ મળત તોપણ હું તૃપ્ત નહિ થાત, એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં હું ઉપયોગી વધારો કરી શકત. એટલે સમૂળગો સુખચેનમાં રહેત. વળી માનું છું કે જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંત સહેલાઈથી વેઠી શકે છે.

મારા સિવાય જેલી ભાઇબંધોમાં વાંચનારા મિ. સિ. એમ. પિલે, મિ. નાયડુ તથા ચીનાઓ હતા. બંને નાયડુએ ગુજરાતી શીખવાનું શરૂ કર્યું હતું. છેવટના ભાગમાં કેટલીક ગુજરાતી ગાયનોની ચોપડી આવી હતી. તે ઘણાજણ વાંચતા હતા, પણ આને હું વાંચન ગણતો નથી.


કવાયત.

જેલમાં વાંચવામાં આખો દિવસ નહિ ગાળી શકાય. અને તેમ બને તોપણ તે નુકશાન કારક નીવડે એમ જાણમાં હતું. તેથી