પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

માન સમજવું જોઇએ. એટલે કે સરકાર એવું કામ સોંપે તેમાં માન નહિ, પણ આપણે તે કામ કરવાનુંજ છે, તો પછી જે પહેલો તૈયાર થાય તે બેશક માનને લાયક છે. આપણે દુઃખ ઉઠાવવા તૈયાર થવું; ને જેના ઉપર વધારે પડે તેને માન માનવું જોઇએ. આવો દાખલો મિ. હસન મિરઝાએ બેસાડ્યો હતો. મિ. હસન મિરઝાને ફેફસાંનું ઘણું ખરાબ દરદ છે. પોતે નાજુક તબિયતના છે, છતાં તેણે હંમેશાં જે કામ તેને ભાગે આવ્યું, તે ખુશી થઇને ઉપાડ્યું. એટલું જ નહિ પણ પોતાની તબીયતની દરકાર ન કરી. એક વખત એક કાફર દરોગાએ તેમને વડા દરોગાનું પાયખાનું સાફ કરવાનું સોંપ્યું, તે કામ તેણે તરત ઉપાડી લીધું. કોઇ દિવસ નહિ કરેલું, તેથી તેને ઉલટી થઇ, પણ તેની તેણે દરકાર નહિ કરી. બીજું પાયખાનું સાફ કરતા હતા, તેવામાં હું જઇ ચઢ્યો ને મેં અચંબા સાથે તેમને કામ કરતા જોયા. મને તો તેમના તરફ અત્યંત વહાલ આવ્યું. પુછપરછ કરી એટલે પહેલા પાયખાનાની ખબર પડી. એક વખત તેક કાફર દરોગાને વડાએ હુકમ કર્યો હશે કે હિંદીને હિંદી પાયખાના ખસુસ રાખ્યાં હતાં તે સાફ કરવા બોલાવવા. આને સારૂ દરોગાએ મારી પાસે આવીને બે માણસ માગ્યા. મને લાગ્યું કે હું પોતેજ તે કામને સારૂ સરસ ગણાઉં તેથી હુંજ ગયો.

તે માટે હિંદીઓને અણગમો.

મને તો એવા કામમાં ઇબારત છે જ નહિ. હું માનું છું કે એવું કામ કરવાની આપણે ટેવ પાડવી ઘટે છે. એવા કામની