પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

જેલમાં વાંચન.

જો કે દિવસ આખો કામ હોય તો પણ સવાર સાંજ તથા રવિવારે કંઇક વાંચવાનો વખત મળી શકે છે અને જેલમાં બીજી ઉપાધિ ન હોવાથી શાંત મને વાંચી શકાય છે. વખત બહુ ઓછો રહેતો છતાં મહાન રસ્કિનનાં બે પુસ્તકો, મહાન થોરોના નિબંધો, બાઇબલનો કંઇક ભાગ, ગેરીબોલ્ડીનું જીવન (ગુજરાતીમાં) લોર્ડ બેકનના નિબંધ (ગુજરાતીમાં), હિંદુસ્તાનને લગતી બીજી બે ચોપડીઓ એમ વાંચ્યા. રસ્કિન તથા થોરોના લખાણોમાંથી સત્યાગ્રહ શોધી કઢાય છે. ગુજરાતી પુસ્તકો બધાને વાચવા સારૂ મિ. દિવાને મોકલેલા. આ સિવાય ભગવદ્ગીતા લગભગ હંમેશાં વાંચવામાં આવતી. આ વાંચવાનું પરિણામ એ આવ્યું કે સત્યાગ્રહને વિષે મારૂ મન તો વધારે દઢ થયું ને આજે હું કહી શકું છું કે જેલથી જરાએ કંટાળો ઉપજે એવું કંઇજ નથી.

જેલ ન જવું કે જવું?

હું જે ઉપર લખી ગયો છું તેમાંથી બે જાતના ખ્યાલ આપણે કરી શકીએ છીએ. એક તો એ કે જેલમાં જઇ બંધન ભોગવવું, જાડો ખરસટ અને ખરાબ પોષાક પહેરવો, જેવું તેવું ખાવું, ભુખે મરવું, દરોગાની પાટુઓ ખાવી, કાફરાઓમાં વસવું, પસંદ પડે કે ન પડે તેવું કામ કરવું, હંમેશા તાબેદારી આપણા ચાકર થવાને લાયક હોય એવા દરોગાની ઉઠાવવી, કોઇ ભાઇબંધ દોસ્તને મળાય નહિ, કોઇને કાગળ ન લખાય, જરૂર-જોઇતી વસ્તુઓ ન મળે, લુંટારા ચોર વિગેરેની સાથે સુવું. આવું દુ:ખ કોને સારૂં