પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


હું


પાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન લેવાનું, ત્રિલોકપુરમાં નવું 'લોક સેવા મંદિર'.

પણ કંઇ નહિ, જવા દઇએ: તમને કંટાળો આવશે. કેમ ન આવે? બાલકૃષ્ણ મારો દસ વર્ષનો જૂનો કારકુન. તેને પણ હસવું આવે છે કે હું આ બધાં નિમંત્રણોની આટલી ચીવટપૂર્વક તારીખો કેમ મુકરર કરાવું છું. હું જવાબો લખાવું છું, તારો કરાવું છું, છેલ્લી ઘડીએ તારીખો બદલવાના સંદેશા મોકલું છું... એ બધી મારી જંજાળો છે એમ ન માનતા; મને એમાં મોજ પડે છે.

બાલકૃષ્ણ હસે છે, બીજાં ઘણાં મને મદમાં ચકચૂર બનેલો સમજે છે; મારા દરેક સમારંભના અહેવાલ, સમારંભ ખતમ થાય કે તરત જ, હું લખી-લખાવી છાપામાં પ્રસિધ્ધિ માટે મોકલું છું એ પણ બધાં જોઇ રહે છે.

હું પણ તેઓના મારા પરના શબ્દ-કટાક્ષો અને આંખ-મીચકારાથી અજાણ નથી. તેઓ માને છે કે પ્રસિધ્ધિના મોહે મારી આંખોમાં અંધાપો અને મારા કાનોમાં સીસું સીંચેલ છે. પ્રગટ થયેલા સમાચારોની કાપલીઓની નોખી એક ફાઇલ જ મેં રખાવી છે ને ઇરાદાપૂર્વક જ તે મેં મારા મેજ પર મુકાવી છે એથી પણ મારા સાથીઓ મને ચસકી ગયેલો માને છે. પણ તેઓ મારે વિષે જે માની રહેલ છે તે પાછું હું પણ જાણું છું એટલી વાત તેઓ કદી જ નહિ સ્વીકારે!