પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હેં, કહે તોઃ આ શું?"

એ શરમીંદી બની ગઇ; વાયુની લહરમાં મરોડ લઇને તીરછી છટાથી ફૂલ દાખવનાર કોઇ ફૂલ-છોડની માફક એણે પોતાનું આખું અંગ મરડીને મોં ખોલ્યું: "..જંક્શને નાહીને કપડાં બદલ્યાં'તાં."

"ક્યાં નાહી?"

"સ્ટેશનના નળ ઉપર."

"અરર. એમ નવાય, ગાંડી! આપણી સંસ્થાને માટે કોઇ શું કહે?"

"પણ એ નળો તો નહાવા માટે જ છે ને? ત્યાં પાટિયાં લગાવેલ છે."

"પણ, બહેન, આપણું જીવન કાંઇ પાટિયાને આધારે નથી ચાલતું ને!તેં એ દ્રશ્ય પાટિયું દીઠું કે, આ નળ નહાવાનો છે. પણ જીવનના માર્ગ ઉપર પાટિયાં ન લગાવેલી એવી કેટ કેટલી નીતીરીતિઓ પડેલી છે!"

મેં જોયું કે વીરમતી કશું સમજી ન શકી. મારે પણ એ જ કામ હતું : એને સમજાવવાનું નહિ,અણસમજની મુગ્ધતામાં એને મુંઝવવાનું.

"એ તો ઠીક, પણ બે કલાકમાં શું ખાટુંમોળું થઇ જવાનું હતું? અહીં આવીને નો'તું નવાતું ધોવાતું?"

એ કશો ઉત્તર ન દઇ શકી. એ કશુંક પૂછવા પ્રયત્ન કરતી હતી; પણ હું શા માટે એને સૂચન પણ કરું? મેં કહ્યું: " જા,સ્વસ્થ થા."

એ ઊઠી. બારણા સુધી ગઇ, પછી એણે પાછા વળીને પૂછ્યું: "મને સ્ટેશને કોઇ લેવા કેમ નહોતું આવ્યું?"

"તેં ખબર આપી હતી?"

"હા"

"શી રીતે?"

"કાગળ લખ્યો હતો."

"કોના પર?"

એણે આડો જવાબ દીધોઃ "મારૂં કવર મળ્યું નથી કોઇને?"

"કવર? ના કવર શીદ લખવું પડ્યું? આવવાના ખબર દેવા એમાં