પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
अंक ८ मो

પાત્ર—૧ રંગલો. ૨ રઘનાથભટ્ટ. ૩ સોમનાથ. ૪ દેવબાઇ. ૫ જીવરામભટ્ટ. ૬ વૈદ્ય.

<——૦——>

સ્થળ—રઘનાથભટ્ટનું ઘર

પ્રવેશ ૧ લો.

(પડદો ઉપડ્યો, ત્યાં ખાટાલામાં જીવરામભટ્ટ સૂતા છે, અને પાસે રઘનાથભટ્ટ, દેવબાઇ, સોમનાથ બેઠા છે, અને રંગલો ઉભો છે.)

દેવબા૦—(રઘનાથને) હળદર અને ભોંયરસો ઉનો કરીને બધે શરીરે ચોપડ્યો હોય તો ઠીક.

રંગલો—બેક મરીને મસાલો ચોપડ્યો હોય તો ઠીક.

રઘના૦—હળદરને ભોંયરસાથી શું થાય? આવળ મંગાવીને બાફીને બધે શરીરે બાંધવી પડશે.

રંગલો—મારૂં કહ્યું માનો તો ડાક્ટરને બોલાવીને તેની સલાહ લો.

દેવબા૦—ના અમારે દાક્તરને નથી બોલાવવો. તેના ઓષડથી ન મટે તો એ તો ઝેર દઇને મારી નાખે.

સોમના૦—આપણા શહેરમાં ત્રીકમલાલ [૧] વૈદ્ય વખણાય છે, તેને બોલાવી લાવું ?

રંગલો૦—ત્રીકમલાલ વૈદ્યને ભક્ષ પાક્યો. જો આ ઉગરનારો હશે ને ઉગરશે, તો ત્રીકમલાલ વૈદ્યને ઓછામાં ઓછા પચાસ રૂપૈયા મળશે; અને કદાપિ આ મરી જશે, તો ત્રિકમલાલના બાપનું કાંઈ જવાનું નથી. છેલ્લી વારે જમવાનું તો મળશે જ.

રઘના૦— તે કરતાં પેલા જામનગરના વૈદ્ય અંબાશંકર થોડાં વર્ષ થયાં અહીં આવીને રહેલા છે, તે વધારે હુંશિયાર ગણાય છે. ઘણે ઠેકાણેથી તેમને આબરૂ મળી છે, તેમને બોલાવ.

રંગલો૦—અરે ! જામનગરના વૈદ્યનું શું કામ છે ? જામનગરના વદનેઆવવાને હવે વાર નથી.

  1. જે ગામમાં આ નાટક થતું હોય તે ગામના વૈદ્યનું નામ લેવું પણ વેષમાં તેનું નામ ધરાવવું નહિ.