પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
कहुं छुं हुं अनुभव करी,खरेखरी वळि वात;
उपजे छे अभिमानथी, घडिये घडिये घात. ८१


मित्र नथी अभिमान गुण, एतो उग्र अरीव[૧];
मिथ्या अभिमाने गयो, जीवरामनो जीव. ८२
(પડદો પડ્યો.)

હાસ્ય રસના નાટકમાં ખરેખરો મરણનો વિચાર બતાવ્યાથી છેક બદલાઇ જાય માટે તે બતાવ્યો નહિ.

<--૦-->


नाटक समाप्ति विषे


સૂત્રધાર-અરે સભાસદો!મિથ્યાભિમાનથી કોઇ વખત કેવું સંકટ આવી પડે છે તે વાત સારી પેઠે આપના ધ્યાનમાં ઉતરી હશે. માટે હવે એ વિષે વધારે કહેવાનું કાંઇ બાકી રહ્યું નથી. હવે જે ગૃહસ્થે પરોપકાર વાસ્તે આ નાટકનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની મારફતે, ઇનામ આપીને રચાવેલું છે, તે ગૃહસ્થનું *પવિત્ર નામ આ ઠેકાણે આપણે સંભારવું જોઇએ.


शार्दूलविक्रीडित वृत.


भाळ्या भाविक भाटिया जन भला,कोडे बेसे कच्छमां,
त्यां गोविंदजि धर्मशी [૨]गुण-निधि,छे मांडवी स्वच्छमां;
जेणे नाटकनी रसीक रचना,रुडी रचावी नवी;
तेनुं तेम सभासदो सकळनुं.कल्याणवांचे कवि. ८३


સમાપન વર્ષ -


दोहरो.
शास्त्र भूजा ने भक्ति, भू,संवंतनी शरुवात;[૩]
पुस्तक आ पूरुं कर्युं, प्रबोधिनी [૪]दिन प्रातः ८४

પછી સર્વ સભાસદોએ સાબાશ! સાબાશ કહીને હર્ષની તાળીઓ બજાવી

[ને સભા બરખાસ્ત થઇ.]

સમાપ્ત


  1. अरि+इव=शत्रु, जम.
  2. નાટક રચનારનું કે રચાવનારનું નામ પ્રસિધ્ધ કરે નહિ તે કૃતઘ્ની કહેવાય. વેદના મંત્રનો પણ વિનિયોગ કરતાં, તે મંત્રના ઋષિ છંદ, અને દેવતા કહેવા પડે.
  3. આમ સાંકેતિક રીતે લેખકે સંવત ૧૯૨૬નું વર્ષ સૂચવ્યું છે. આ એક મધ્યકાલીન રીત છે.
  4. કાર્તિક સુદિ ૧૧