વચન આપ્યું. પણ એ લખી આપવામાં એણે એટલી બધી વાર
લગાડી કે રાજ્યાભિષેકનો વિધિ એ માસ વગર જ પાર પડ્યો.
છેક 1824માં વિયેનાના એક જલસામાં એ ‘ધ ગ્રેટ માસ’ના કેટલાક
ટુકડાનું પ્રથમ વાર ગાયનવાદન કરવામાં આવ્યું. ‘ધ ગ્રેટ માસ’ને
છપાવવા માટે પ્રકાશકો સાથે બીથોવને કરેલી વાટાઘાટોનું પ્રકરણ
પણ એના જીવનના કલંકોમાંનું એક મુખ્ય છે. બીથોવનના
ચાહકો માટે એ એટલું દુઃખદ છે કે એ આજે પણ છોભીલા પડી
જાય છે. અગાઉ ટાંકેલા કેટલાક કિસ્સાની જેમ અહીં પણ એનું વર્તન
એટલું તો બેહૂદું હતું કે તરત જ એક પ્રશ્ન ઉદ્ભવે : શું એને ખબર
જ નહોતી કે ધંધાદારી સોદામાં પણ નીતિમત્તાનું સ્થાન પહેલું
છે ? દુનિયા આખીને સતત નીતિમત્તાના ઉપદેશો આપતા રહેલા
બીથોવને ‘ધ ગ્રેટ માસ’ છાપવા આપવા માટે એકસાથે ચાર પ્રકાશકો
સાથે વાયદા કર્યા. એમાંથી કેટલાક પાસેથી તો રૉયલ્ટીની રકમ
એણે આગોતરી જ લઈ લીધેલી ! આ ચારે પ્રકાશકો સાથેના
કાગળોમાં એણે હડહડતાં જુઠ્ઠાણાં ચીતર્યાં છે. એક જર્મન
જીવનકથાકારે લખ્યું છે :
- બીથોવનનું આ વર્તન એક સજ્જનને શોભે તેવું હરગિજ નથી. એમાં ક્યાંય ન્યાયપ્રિયતા કે સત્યપ્રિયતા નથી. એક નીતિવાન જીવનકથાકાર બીથોવનની આ લુચ્ચાઈ કે ખંધાઈને કેવી રીતે અવગણ્યા વિના રહી શકે ? આ વર્તન માટે થઈને એને કડક ટીકા વડે ઉતારી પાડ્યા અને વખોડી કાઢઢ્યા વિના કેવી રીતે રહી શકે ? બીથોવન મહાન સંગીતકાર છે એ કારણે આપણે એના માટે અનન્ય પ્રેમાદર ધરાવીએ છીએ. પણ તેથી આ ગુનો મટી જતો નથી.
લુડવિગ ફાન બીથોવન, બ્રેઇન પ્રોપ્રાઇટર
ગરીબ દેખાવાનો ઢોંગ કરતા રહેલા બીથોવનના સાત બૅંકલૉકર્સમાં શૅરસ્ટૉક સલામત હતા. પણ છેલ્લાં થોડાંક વર્ષોથી તેની