પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ - ૨
મોત્સાર્ટ વિશે
જબરજસ્ત મૌલિકતાને કારણે નહિ, પણ શાશ્વત સિદ્ધાંતો નેવે મૂકવાને કારણે બીથોવન સમજવો અઘરો બન્યો છે. પણ મોત્સાર્ટે એ ભૂલ કદી કરી નથી. મોત્સાર્ટની સૂરાવલિઓની આંતરગૂંથણી એટલી તો સંપૂર્ણ છે કે તે સાચા કાઉન્ટરપૉઈન્ટમાં પરિણમે છે.
– ફ્રૅડેરિખ શોપાં

(યુજિન દેલાકવાના સામયિક ‘જર્નલ’માં, 1823-24)
 
વૈજ્ઞાનિક અભિગમથી જે સંગીત સદા મુક્ત છે તે જ સર્વાંગ સુંદર છે. વધુ પડતી સંકુલતા કલાનો ખાત્મો કરે છે. સર્વાંગ સુંદર કલા માત્ર બે જ માણસે આપી છે : લિયોનાર્દો અને મોત્સાર્ટ; બે મહાન કલાકાર.
– ક્લોદ દેબ્યુસી

(મોન્સિયે કોશે, 1921)
 
ભારેખમ આધુનિક સંગીતથી વિપરીત મોત્સાર્ટનું સંગીત સહેજેય કકળાટિયું નથી. મોત્સાર્ટ બાખનો સમોવડિયો છે, તથા બીથોવન કરતાં ઘણો ચડિયાતો છે.
– જ્યૉર્જ બર્નાર્ડ શૉ

( 'ધ વર્લ્ડ'માં ‘એ મોત્સાર્ટ કોન્ટ્રોવર્સી', જૂન 11, 1890)
 
૮૧