પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
અલ તુસી (ઈ.સ. ૧૨૦૧-૧૨૭૪)

અબુજાફર મોહમ્મદ ઇબ્ને મુહમ્મદ ઇબ્ને અલ હસન નસીરૂદીન અલ તુસીનો જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૨૦૧માં ઇરાનના ખુરાસાનમાં તુસ નામક સ્થળે થયો હતો.

પોતાની આત્મકથામાં તુસીએ લખ્યું છે કે એના પિતા 'દુન્યાવી માણસ' હતા પરંતુ એમણે એને જ્ઞાન-વિજ્ઞાન અને ધાર્મિક શિક્ષણ મેળવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને માથે ચઢાવી અલ તુસીએ ગણિત, વિજ્ઞાન અને ફિલસુફીનું અધ્યયન શરૂ કરી દીધું હતું. વધુ શિક્ષણ મેળવવા એ સમયના સંસ્કાર કેન્દ્ર સમા નિશાપુર પહોંચ્યો. પ્રસિદ્ધ ફિલસુફ ફરીદુદ્દીન દામાદ પાસેથી ફિલસુફીના અને મુહમ્મદ હાસિબ પાસેથી ગણિતના પાઠ શીર્ષો. એણે ફારસી મુળના વિશ્વપ્રસિદ્ધ તબીબ અને તત્વચિંતક ઈબ્ને સીનાના ગ્રંર્થોનું અધ્યયન કર્યું. એ પછી ઈરાક જઈ વધુ અભ્યાસ કર્યો. પોતે બાર ઈમામોને માનનાર શિયા હોવા છતાં બીજા સંપ્રદાયોના ધર્મશાસ્ત્રનું જ્ઞાન લેવામાં એને જરાપણ છોછ નહતો. એણે ઇરાકમાં 'શરીઅત' (ઇસ્લામી ધર્મશાસ્ત્ર)નો અભ્યાસ કર્યો. મોસુલમાં ગણિત અને ખગોળશાસ્ત્રીનું જ્ઞાન કમાલુદ્દીન યુનુસ (મૃ. ૧૨૪૨) પાસેથી લીધું.

જ્ઞાનપ્રાપ્તિ પછી નસીરૂદ્દીન અલ તુસીએ લગભગ ૨૫ વર્ષો સુધી ઈરાનના ઈસ્માઈલી શિયા શાસકોના દરબારમાં સેવા આપી. ઈ.સ. ૧૨૪૬માં અલમૂત શહેરમાં ઇસ્માઈલી શાસકોના શાસનનો અંત આવ્યો અને મોંગોલોએ ઇરાનને જીતી લીધું. ઈસ્લામી વિશ્વમાં વિદ્વાન તરીકે ખ્યાતિ મેળવી ચુકેલા અલતુસીને મોગલોએ દરબારી જ્યોતિષ અને ધાર્મિક શિક્ષણના વડાપ્રધાન બનાવ્યો. અલતુસીએ હલાકુખાનને વેધશાળા બનાવવા માટે રાજી કરી લેતા ઈ.સ. ૧૨૫૯માં રશાદખાનેહ વેધશાળા બનાવવાનો પ્રારંભ આઝરબૈજાનના અલ મરાઘામાં થયો. આ વેધશાળાનું બાંધકામ, એના સાધનો પુસ્તકાલ વગેરેની દેખરેખની જવાબદારી અલ તુસીને સોંપવામાં આવી હતી. અહીં ૧૨૭૪ સધી સેવા બજાવી પોતાના શિષ્યો સાથે મરાઘા છોડી અલ તુસી બગદાદ ગયો અને એ વર્ષે જ એનું અવસાન થયું.

અલ તુસી મધ્યયુગના ઇસ્લામી યુગમાં પ્રચુર લખનારા લેખક તરીકે પ્રસિદ્ધ છે. ફારસી અને અરબી બંને ભાષાઓમાં એણે વિવિધ વિષયો ઉપર ૧૫૦ થી વધુ ગ્રંથોની રચના કરી, ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને વિષયોમાં એણે કલમ ચલાવી. જ્યાં એણે શિયા ફીકહ (ધર્મશાસ્ત્ર), આધ્યાત્મવાદ અને સુફીવાદ વિશે લખ્યું ત્યાં એણે